એપશહેર

કોરોના વાયરસ: હવે આ રાજ્યમાં શનિવાર-રવિવારે રહેશે લોકડાઉન

હરિયાણામાં પણ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખતા દર શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ રહેશે.

I am Gujarat 21 Aug 2020, 8:32 pm
ચંદીગઢ: પંજાબ સરકાર પછી હવે હરિયાણાની સરકારે પણ એવી જાહેરાત કરી છે કે રાજ્યમાં હવે શનિવાર અને રવિવારના દિવસે લોકડાઉન રહેશે. સ્વાસ્થ્યમંત્રી અનિલ વિજે જણાવ્યું કે કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં શનિવાર અને રવિવારે લોકડાઉન દરમિયાન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે.
I am Gujarat q11


તેમણે ટ્વિટ કરતા જણાવ્યું કે દર શનિવાર-રવિવારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. પણ, લોકોની અવર-જવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. પ્રાપ્ત જાણકારી મુજબ, આ લોકડાઉન દરમિયાન માત્ર દુકાનો અને ઓફિસો બંધ રાખવામાં આવશે. હરિયાણામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 50 હજારને પાર કરી ગઈ છે. ત્યાં અત્યાર સુધીમાં કુલ 578 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.

પંજાબમાં પણ લાગુ કરાયુ છે વીકેન્ડ લોકડાઉન

આ પહેલા ગુરુવારના દિવસે પંજાબ સરકારે પણ રાજ્યમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના તમામ 167 શહેરોમાં સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવામાં આવશે. તાત્કાલિક પગલા હેઠળ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે તારીખ 31 ઓગસ્ટ સુધી લગ્ન અને અંતિમવિધિને બાદ કરતા લોકો અન્ય કોઈપણ જમાવડામાં ભેગા થઈ શકશે નહીં તે પ્રકારે આદેશ આપ્યો છે. કોરોના વાયરસ મહામારીનું રુપ લઈને દુનિયાભરમાં ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં કોરોના વાયરસનો કુલ આંકડો 29 લાખને પાર થયો છે તો વળી 54,800 કરતાં પણ વધારે લોકો આ સંક્રમણના કારણે મોતને ભેટ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો