એપશહેર

રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વધતો પોઝિટિવિટી રેટ બની શકે છે ત્રીજી લહેરનું કારણ

દેશમાં પાછલા એક મહિનાથી પોઝિટિવિટી રેટ 3% કરતા નીચો રહ્યો છે જ્યારે કેટલાક જિલ્લાઓમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે

TNN 23 Jul 2021, 8:08 am

હાઈલાઈટ્સ:

  • ત્રીજી લહેરને અટકાવવા માટે દેશના કેટલાક રાજ્યોએ કાળજી લેવી જરુરી
  • રાજ્યોને પોઝિટિવિટી રેટ ઘટાડવા જરુરી પગલા ભરવાનું કેન્દ્રનું સૂચન
  • રાજસ્થાનના જેસલમેરમાં પોઝિટિવિટી રેટ સૌથી વધુ 41% પર પહોંચ્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat high positivity rates in some district can be spur for next wave in india
રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વધતો પોઝિટિવિટી રેટ બની શકે છે ત્રીજી લહેરનું કારણ
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના નવા કેસ થયેલો ઘટાડાની અસર જોવા મળી રહી છે. બીજી લહેરની સમાપ્તિ પછી જે રીતે નવા કેસની સંખ્યા 40 હજારની નજીક પહોંચી છે તેને જોતા લોકો ઘણી રાહત અનુભવી રહ્યા છે. જોકે, આ બધાની વચ્ચે કેટલાક રાજ્યોમાં વધતા કેસ ચિંતા વધારી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં વધતો પોઝિટિવ રેટ ચિંતાનું કારણ બની રહ્યો છે.
ભારતમાં સળંગ પાછલા એક મહિનાથી પોઝિટિવિટી રેટ 3% કરતા નીચો રહ્યો છે. જોકે, કેટલાક રાજ્યો જેવા કે કેરળ, મણિપુર, રાજસ્થાન, મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયાના ઘણાં જિલ્લાઓમાં પોઝિટિવિટી રેટ 10% કરતા ઊંચો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે કે જો આ માઈક્રો લેવલ પર કોરોનાને અટકાવવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા તો તે ત્રીજી લહેરનું કારક બની શકે છે.


આ સાથે મુખ્ય રાજ્યો કે જ્યાં કોરોનાના એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે તેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થઈ રહ્યો છે. 14થી 20 જુલાઈ વચ્ચેના ઓફિશિયલ આંકડા પર નજર કરીએ તો મહારાષ્ટ્રના 47 જિલ્લા એવા છે કે જ્યાં પોઝિટિવિટી રેટ 10% કરતા ઊંચો જઈ રહ્યો છે, જ્યારે 5 જિલ્લાઓમાં તે 5-10% વચ્ચે છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ સારો વરસાદ પડવાની આગાહી
રાજસ્થાનના જેસલમેરમાં પોઝિટિવિટી રેટ સૌથી વધુ 41% નોંધાયો છે. આ સિવાય અન્ય જિલ્લાઓની વાત કરીએ તો સવાઈ માધવપુર, બરન, જલવર, ટોંક અને રાજસમંદમાં પણ પોઝિટિવિટી રેટ ઊંચો નોંધાઈ રહ્યો છે. કેરળના મલ્લાપુરમ, કાસરાગોડ, કોઝ્હિકોડ, પલક્કડ અને થિસ્સુરમાં પણો પોઝિટિવિટી રેટ ઊંચો નોંધાયો છે.

રાજ કુન્દ્રાના સપોર્ટમાં આવી ગહના વશિષ્ઠ, બોલી- પૂનમ પાંડે વર્ષોથી બનાવી રહી છે ન્યૂડ વિડીયો
સિક્કિમના દક્ષિણ જિલ્લામાં અને નાગાલેન્ડના કોહિમામાં પણ પોઝિટિવિટી રેટ 30% પર પહોંચ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ રાજ્યો અને જિલ્લાઓ પર વધારે ધ્યાન આપીને આક્રામક રીતે ટેસ્ટિંગ વધારવા તથા કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરીને પગલા ભરવા અંગે જણાવ્યું છે. આ સાથે રેપિડ એન્ટિજન ટેસ્ટની સાથે દરેક રાજ્યોને RT-PCR ટેસ્ટ પણ વધારવા માટેની સલાહ આપી છે. કારણ કે આ ટેસ્ટથી કોરોનાના દર્દીઓને ઝડપથી ઓળખી શકાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો