એપશહેર

દિલ્હી હિંસાઃ એક નહીં ત્રણ-ત્રણવાર આવ્યા તોફાનીઓ, હિંદુ-મુસ્લિમોએ સાથે મળીને ખદેડ્યા

Yogesh Gajjar | Navbharat Times 28 Feb 2020, 10:24 am
રામ ત્રિપાઠી, બાબરપુરઃ દિલ્હીમાં હિંસા દરમિયાન ત્રણેય બાજુએ તોફાનીઓથી ઘેરાયેલો ન્યૂ જાફરાબાદ વિસ્તાર હિન્દુ-મુસ્લિમોની એકતા અને લોકોની સજાગતાના કારણે સુરક્ષિત બચી ગયો. અહીંના લોકોએ દિવસ-રાત વિસ્તારની ચોકીદારી કરી અને બહારના લોકો પર નજર રાખી. તોફાનીઓએ અહીં પણ માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ એક નહીં ત્રણ વખત આવ્યા, પરંતુ દરેક વખતે સ્થાનિક લોકોએ તેમને ત્યાંથી ભગાડી દીધા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:દિલ્હીમાં તોફાન ફેલાવાના આગલા જ દિવસે 24 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગ્યે નારેબાજી કરતો એક યુવક સુદામાપુરીના રસ્તાથી ન્યૂ જાફરાબાદમાં ઘુસીને તોફાન કરાવવા ઈચ્છતો હતો. તેના હાથમાં લાડકી-ડંડા, લોખંડની પાઈપ અને ચેન વગેરે હતી. સુદામાપુરીની ગલી નંબર 12થી 25-30 જેટલા યુવકોનું ટોળું ત્યાં પહોંચ્યું હતું. ન્યૂ જાફરાબાદમાં જેવા તોફાનીઓ આગળ વધવા લાગ્યા, સુદામાપુરીના લોકોએ તેમને પડકાર્યા. સ્થાનિક લોકોએ તેમને પાછા જવાની ધમકી આપી તો યુવક ત્યાંથી ભાગી ગયો.તોફાન કરાવવા માટે બીજો અને ત્રીજો પ્રયાસ બુધવારે રાત્રે થયો. રાત્રે 9.30 કલાકે હિંસક યુવકોનું એક ટોળું નારેબાજી કરતા રોહતાશ નગરના રસ્તેથી કોલોનીમાં ઘુસી ગયું. સ્થાનિક લોકોએ તે યુવકોને ધમકાવીને પાછા મોકલી દીધા.આ બાદ રાત્રે 1.30 કલાકે બહારના યુવાનોનું બીજું ટોળું તે રસ્તેથી ત્યાં પાછું પહોચ્યું. લોકોએ જણાવ્યું કે, હિંસક યુવકોએ 2-3 રાઉન્ડ ગોળી ચલાવી હતી. સ્થાનિક લોકોએ સમજદારી બતાવી અને તેઓ તોફાનીઓના ષડયંત્રમાં ન આવ્યા અને તરત જ પોલીસને ફોન કરીને જાણકારી આપી. થોડા સમયમાં પેરામિલિટ્રીના જવાન પહોંચ્યા અને તેમણે યુવકોને ત્યાંથી ભગાડી દીધા.આ પણ જુઓઃ શૂટ એટ સાઈટ: જાણો, આખરે શું હોય છે ‘દેખો ત્યાં ઠાર’ નો ઓર્ડર?

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો