એપશહેર

અમિત શાહ તદ્દન સ્વસ્થ, હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

અમિત શાહ AIIMSમાં દાખલ થયા હોવા છતાં સતત પોતાના કામમાં વ્યસ્ત હતા. તેમણે અહીંથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક યોજનાની શરૂઆત પણ કરાવી હતી.

I am Gujarat 17 Sep 2020, 8:56 pm
નવી દિલ્હી: કોરોના સંક્રમણમાંથી સાજા થયા પછી શ્વાસ લેવામાં તકલીફ પડતા AIIMSમાં દાખલ થયેલા ગૃહમંત્રી અમિત શાહને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમિત શાહને શનિવારે રાત્રે 11 વાગ્યે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
I am Gujarat q10


દાખલ થયા હોવા છતાં એક્ટિવ હતા અમિત શાહ

અમિત શાહ AIIMSમાં દાખલ થયા હોવા છતાં સતત પોતાના કામમાં વ્યસ્ત હતા. તેમણે અહીંથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક યોજનાની શરૂઆત પણ કરાવી હતી. આ યોજનાની શરૂઆત કરતા અમિત શાહે કહ્યું હતું કે આ યોજના મોદી સરકારના 'હર ઘર જળ' સંકલ્પને દર્શાવે છે, જેનાથી ગાંધીનગરની જનતાને 24 કલાક અને 365 દિવસ પીવાનું શુદ્ધ પાણી મળશે અને તેઓ બીમારીઓથી બચશે. તેમણે કહ્યું હતું કે તમામ લોકોએ સાથે મળીને પ્રયાસોથી 'સેવા સપ્તાહ'ને સાર્થક કરવું જોઈએ.

ગૃહમંત્રી અમિત શાહ ગત મહિને તારીખ 2 ઓગસ્ટના રોજ કોરોના પોઝિટિવ થયા હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેઓ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા હતા. 14 ઓગસ્ટના દિવસે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. તેના 4 દિવસ પછી 18 ઓગસ્ટના દિવસે તેઓ પોસ્ટ-કોવિડ સારવાર માટે AIIMSમાં દાખલ થયા હતા. આ દરમિયાન તેમણે હોસ્પિટલમાંથી જ મંત્રાલયનું કામકાજ સંભાળ્યું હતું.

Read Next Story