એપશહેર

આંદોલનકારી ખેડૂતોને ગૃહમંત્રી અમિત શાહની અપીલ, સરકાર વાતચીત માટે તૈયાર

આજે જે ખેડૂત ભાઈ પોતાનું આંદોલન કરી રહ્યા છે તેઓ તમામને હું અપીલ કરવા માગુ છું કે ભારત સરકાર તમારી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે.

I am Gujarat 28 Nov 2020, 10:21 pm
નવી દિલ્હી: નવા કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને હવે ગૃહમંત્રી અમિત શાહે અપીલ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દિલ્હી-હરિયાણા બોર્ડર પર રોડ પર અલગ-અલગ ખેડૂત યુનિયનની અપીલ પર આજે જે ખેડૂત ભાઈ પોતાનું આંદોલન કરી રહ્યા છે તેઓ તમામને હું અપીલ કરવા માગુ છું કે ભારત સરકાર તમારી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે.
I am Gujarat q11


અમિત શાહે વધુમાં જણાવ્યું કે ભારત સરકાર તમારી દરેક સમસ્યા અને દરેક માગ પર વિચાર-વિમર્શ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે જો ખેડૂત ઈચ્છે છે કે ભારત સરકાર જલદી વાત કરે, તારીખ 3 ડિસેમ્બર પહેલા વાત કરે, તો મારું તમને આશ્વાસન છે કે તમે જેવા નિર્ધારિત સ્થળ પર સ્થળાંતરિત થઈ જાઓ છો, તેના બીજા જ દિવસે ભારત સરકાર તમારી સમસ્યા અને માગો પર વાતચીત માટે તૈયાર છે.

આ અંગે ભારતીય કિસાન યુનિયનના પંજાબ અધ્યક્ષ જગજીત સિંહે કહ્યું કે અમિત શાહે શરતો સાથે જલદી મળવાની જે વાત કરી તે યોગ્ય નથી. તેમણે કોઈપણ પ્રકારની શરત વિના ખુલ્લા દિલથી વાતચીતની રજૂઆત કરવી જોઈએ. અમે આવતીકાલે બેઠક કરીશું અને ત્યારબાદ અમારી પ્રતિક્રિયા આપીશું.

Read Next Story