નવી દિલ્હીઃ અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમિત શાહે ગત છેલ્લા દિવસોમાં પોતાના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ કરવાનું અને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. સૂત્રો અનુસાર ગૃહમંત્રીએ બુધવારે વડાપ્રધાન આવાસ પર થયેલી કેબિનેટ મિટિંગમાં હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તેમના કેબિનેટ સહયોગીઓએ પણ હાજરી આપી હતી. પીએમ આવાસ પર સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવાની સાથે સાથે કોરોનાના બચાવના પ્રોટોકોલ્સનું કડકાઈથી પાલન થાય છે.
PM આવાસ પર સ્વાસ્થ્ય પ્રોટોકોલ્સનું પાલન
છેલ્લા કેટલાય મહિનાઓથી વડાપ્રધાન આવાસ પર પ્રોટોકોલ્સનું સખ્તાઈથી પાલન થાય છે. ત્યાં તાપમાન અને આરોગ્ય સેતુ એપ ચેક કરવાથી લઈને માસ્ક પહેરવા જેવા મહત્વના પગલાઓનું પાલન થાય છે. લોકોને આવવા અને લઈ જવા માટે કોઈ વાહનનો ઉપયોગ પણ નથી કરવામાં આવતો. મોટાભાગની બેઠકો વિડીયો કોન્ફરન્સ દ્વારા જ કરવામાં આવે છે.
બાબુલ સુપ્રિયો પણ થયા આઈસોલેટ
આ દરમિયાન કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયોએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે એક દિવસ પહેલા જ તેમણે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત કરી હતી. સુપ્રિયોએ થોડા દિવસો માટે સેલ્ફ આઈસોલેશનમાં જવાનો અને ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે.
અમિત શાહે ટ્વીટ કરીને આપી જાણકારી
નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ટ્વીટ કરીને પોતે જ કોરોના સંક્રમિત છે તેવી જાણકારી આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું કે કોરોનાના શરુઆતના સ્ટેજના લક્ષણો જોવા મળતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર્સની સલાહ પર તેઓ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
PM આવાસ પર સ્વાસ્થ્ય પ્રોટોકોલ્સનું પાલન
છેલ્લા કેટલાય મહિનાઓથી વડાપ્રધાન આવાસ પર પ્રોટોકોલ્સનું સખ્તાઈથી પાલન થાય છે. ત્યાં તાપમાન અને આરોગ્ય સેતુ એપ ચેક કરવાથી લઈને માસ્ક પહેરવા જેવા મહત્વના પગલાઓનું પાલન થાય છે. લોકોને આવવા અને લઈ જવા માટે કોઈ વાહનનો ઉપયોગ પણ નથી કરવામાં આવતો. મોટાભાગની બેઠકો વિડીયો કોન્ફરન્સ દ્વારા જ કરવામાં આવે છે.
બાબુલ સુપ્રિયો પણ થયા આઈસોલેટ
આ દરમિયાન કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયોએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે એક દિવસ પહેલા જ તેમણે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત કરી હતી. સુપ્રિયોએ થોડા દિવસો માટે સેલ્ફ આઈસોલેશનમાં જવાનો અને ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે.
અમિત શાહે ટ્વીટ કરીને આપી જાણકારી
નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ટ્વીટ કરીને પોતે જ કોરોના સંક્રમિત છે તેવી જાણકારી આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું કે કોરોનાના શરુઆતના સ્ટેજના લક્ષણો જોવા મળતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર્સની સલાહ પર તેઓ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.