નવી દિલ્હી: કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં અત્યાર સુધી 6 લાખથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં, ઓક્સફોર્ડ વેક્સીન પણ એક આશાની કિરણ છે. હાલમાં, ભારત સહિત વિશ્વભરમાં ઘણી વેક્સીનનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. ચીન પણ રસી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ઓક્સફર્ડ વેક્સીનની પોતાની વિશેષતા છે. ચાલો જાણીએ કે આ રસી કેવી રીતે કામ કરશે..?
ચિમ્પાન્ઝીના વાયરસથી બની છે રસી
ઓક્સફર્ડમાં કોરોના વેક્સીન બનાવવામાં ચિમ્પાન્ઝીનો એડીનો વાયરસ એટલે કે શરદી પેદા કરનાર વાયરસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે નુકસાન એટલા માટે નહીં કરી શકે કેમકે તેને નબળું પાડી દેવામાં આવ્યું છે. આમાં વેક્ટરને ચિમ્પાન્ઝીના એડેનો વાયરસ (ChAdOx1)માંથી લેવામાં આવ્યું છે. જ્યારે આ CHAdOx1 કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરશે ત્યારે તે એક વિશેષ પ્રકારનું પ્રોટીન બનાવશે. અને ત્યારબાદ માનવ શરીરમાં કોરોના સામે લડતા એન્ટિબોડીઝ ઉત્પન્ન થશે.
શું તે લાંબા સમય સુધી અસરકારક રહેશે?
લેન્સેટના અહેવાલ મુજબ, જે લોકો રસી અપાય છે તેઓને પોઝિટિવ અસર થઈ છે. જોવા મળ્યું છે કે, ડોઝ આપ્યા પછી એન્ટિબોડીઝ શરીરમાં રચના કરવાનું શરૂ કરે છે અને તે ટી શેલ પણ બની જાય છે. ખરેખર ટી-શેલ લાંબા સમય સુધી કામ કરે છે અને ફરીથી ચેપ લાગ્યાં પછી તે ફરીથી વાયરસ સામે લડવા માટે તૈયાર થઈ જાય છે.
આ રીતે કરે છે કામ
પહેલા તબક્કામાં કોરોના વાયરસ સ્પાઇક પ્રોટીનનો જેનેટિક કોડ ઓળખવામાં આવ્યો. બીજા તબક્કામાં ચિમ્પાન્ઝીના એડીનો વાયરસને જેનેટિકલી સુધારીને સ્પાઇક પ્રોટીન બનાવવામાં આવે છે. શરીરમાં પ્રવેશ્યા બાદ આ પ્રોટીન કોરોનામાં એન્ટિબોડીઝ બનાવવાનું શરૂ કરે છે.
શું કોઈ આડઅસર છે? વેક્સીનના ટ્રાયલ બાદ લોકો પર સાઈડ ઈફેક્ટ જોવા મળ્યા છે. જેમાં તાવ, માથાનો દુખાવો અને ઈન્જેક્શન આપેલી જગ્યા પર રિએક્શનનો સમાવેશ થાય છે. જોકે, તેની વધારે અસર નહોતી રહેતી.
ચિમ્પાન્ઝીના વાયરસથી બની છે રસી
શું તે લાંબા સમય સુધી અસરકારક રહેશે?
આ રીતે કરે છે કામ
શું કોઈ આડઅસર છે? વેક્સીનના ટ્રાયલ બાદ લોકો પર સાઈડ ઈફેક્ટ જોવા મળ્યા છે. જેમાં તાવ, માથાનો દુખાવો અને ઈન્જેક્શન આપેલી જગ્યા પર રિએક્શનનો સમાવેશ થાય છે. જોકે, તેની વધારે અસર નહોતી રહેતી.