એપશહેર

મૃત્યુના એક વર્ષ બાદ મહંત નરેન્દ્ર ગિરીના સીલબંધ રૂમમાંથી કરોડોની રોકડ, દાગીના મળ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ સભ્યોની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ગુરૂવારે રૂમની તપાસ કરવામાં આવી હતી. તપાસ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો કે સંપત્તિ અને ઘરેણાં સાથે સંબંધિત દસ્તાવેજો સાથે આશરે રૂ. 2.5 કરોડ રિકવર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહીની સીબીઆઈ ટીમ દ્વારા વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.

Edited byદીપક ભાટી | I am Gujarat 17 Sep 2022, 5:08 pm
લખનૌ: મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુના એક વર્ષ પછી બાગંબરી મઠમાં સીલબંધ રૂમમાંથી મોટી રકમ, ઝવેરાત અને મિલકત સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ સભ્યોની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ગુરૂવારે રૂમની તપાસ કરવામાં આવી હતી. તપાસ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો કે સંપત્તિ અને ઘરેણાં સાથે સંબંધિત દસ્તાવેજો સાથે આશરે રૂ. 2.5 કરોડ રિકવર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહીની સીબીઆઈ ટીમ દ્વારા વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. તપાસમાં રૂમમાંતી 10 ક્વિન્ટલ ઘીનો જથ્થો પણ મળી આવ્યો.
I am Gujarat Mahant Narendra Giri Suicide Case
મહંત નરેન્દ્ર ગિરી- ફાઈલ તસવીર


મહંત બલબીર ગિરીની અરજી પર રૂમ ખોલવામાં આવ્યા હતા, જેમણે કોર્ટમાં માંગણી કરી હતી કે મઠની અંદરની તમામ સંપત્તિ અને રોકડ કેસની મિલકત નથી અને તેથી તેને પરત કરવી આવશ્યક છે. ત્યારે કોર્ટે આદેશ પસાર કર્યો હતો, જેના પગલે ACM (III) અભિનવ કનોજિયા, ACM (IV) ગણેશ કુમાર અને પોલીસ સર્કલ ઓફિસર (IV) રાજેશ યાદવ અને બેંક અધિકારીની હાજરીમાં CBI ટીમે રોકડ, દાગીના કાઢ્યા હતા અને મઠ સત્તાવાળાઓને સોંપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 20 સપ્ટેમ્બર 2021ના રોજ અખિલ ભારતીય અખાડા પરિષદ (ABAP)ના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી (62) પ્રયાગરાજમાં શ્રી મઠ બાગંબરી ગદ્દી ખાતે મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ યુપી સરકારે મહંતના મૃત્યુની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. ત્યારબાદ સીબીઆઈએ 24 સપ્ટેમ્બરે આનંદ ગિરી સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપ હેઠળ એફઆઈઆર દાખલ કરીને કેસ સંભાળ્યો હતો.

એક મહિનાની તપાસ પછી, સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે આનંદ ગીરી, આદ્ય તિવારી અને સંદીપ તિવારીએ સ્વર્ગસ્થ મહંતની પ્રતિષ્ઠાને બદનામ કરતો વાંધાજનક ઓડિયો ફરતો કર્યો હતો અને તેમના પર ભારે માનસિક રીતે તેમજ જીવનનો અંત લાવવા માટે દબાણ કર્યું હતું. બાદમાં ત્રણેય સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story