એપશહેર

પતિએ પત્નીને ત્રણ વખત સિંગાપોર મોકલી, પાછા આવીને જોયું તો...??

Yogesh Gajjar | I am Gujarat 26 Nov 2019, 11:24 am
પતિ અને પરિવારના લોકોએ મહિલાને સિંગાપોર મોકલી તો તે ખૂબ જ ખુશ હતી. પરંતુ તેને વિદેશ મોકલ્યા પાછળ તેનો પરિવાર શું ષડયંત્ર રચી રહ્યો છે તે વિશે માલુમ પડ્યું તો પગ નીચેથી જમીન સરકી ગઈ. હકીકતમાં મહિલાના પતિએ તેને ડિવોર્સ આપ્યા વિના જ બીજા લગ્ન કરી લીધા. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તે તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જે બાદ મહિલાએ પોતાના પતિ અના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: ઘટનાની જાણકારી મુજબ ગુરમીત કૌર નામની મહિલાના પાંચ વર્ષ પહેલા ગુરલાલ સિંહ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ 25 સપ્ટેમ્બર 2014એ સાસરિયાએ તેના બે વર્ષ માટે સિંગાપોરના વિઝા કઢાવ્યા અને વિદેશ મોકલી દીધી. પરંતુ ગુરમીત 1 જ વર્ષમાં પાછી આવી ગઈ. આ બાદ 30 જૂને 2016એ પરિવારે ફરી તેને સિંગાપોર મોકલી દીધી. 28 ઓક્ટોબર 2017એ ગુરમીતને ત્રીજી વખત સિંગાપોર મોકલી દેવાઈ અને તે 2જી ઓક્ટોબર 2019એ સાસરામાં પાછી આવી. એરપોર્ટ પર પતિ લેવા આવ્યો અને બીજા જ દિવસે બહાના બનાવીને તેને પીયરમાં મોકલી દીધી. થોડા દિવસો બાદ ગુરમીત જ્યારે પાછી આવી તો તેના પતિએ કહ્યું તે તેણે બીજા લગ્ન કરી લીધા છે. આ સાંભળીને ગુરમતી ફરીથી પીયરમાં જતી રહી. તેનો આરોપ છે કે તેનો પતિ, દીયર, સાસુ-સસરા અને અન્ય એક મહિલા તેના ઘરે આવ્યા અને ગળામાં દોરડું નાખી લટકાવવાનો પ્રયાસ ક્યો. ગુરમીતે બૂમાબૂમ કરતા આરોપીઓ ફરાર થઈ ગયા. તેણે સિવિલ હોસ્પિટલમાં પોતાનું નિવેદન નોંધાવતા જણાવ્યું કે સિંગાપોરમાં કામ કરતા સમયે તેણે પતિના ખાતામાં 12 લાખ રૂપિયા નાખ્યા હતા. પોલીસે હાલમાં આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો