જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં એક પતિએ એટલા માટે પત્નીની હત્યા કરી નાંખી કારણ કે તે આખો દિવસ મોબાઈલ પર વ્યસ્ત રહેતી હતી. આરોપી અયાઝ અહમદ અંસારી (26)એ પત્ની રેશમા ઉર્ફ નૈના મંગલાની (22)ને ફરવાના બહાને બોલાવી અને જયપુર-દિલ્હી હાઈવે પર ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી. કોઈ મૃતકની ઓળખ ન કરી શકે તે માટે અયાઝે તેનું માથુ અને ચહેરો પથ્થરથી કચડી નાંખ્યો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરોપોલીસે આરોપી પતિ અયાઝ અહમદ અંસારીની ધરપકડ કરી લીધી છે. પોલીસે પૂછતાછ કરતા પતિએ જણાવ્યું કે પત્નીના ફેસબુક પર 6000થી વધુ ફોલોઅર્સ હતા અને તે આખો દિવસ મોબાઈલ પર જ વ્યસ્ત રહેતી હતી. તેને કારણે પતિ-પત્ની વચ્ચે ઘણા ઝઘડા થતા હતા. કંટાળીને તેણે પત્નીની હત્યાનું કાવતરુ ઘડી નાંખ્યું.આરોપીએ જણાવ્યું કે તેણે રવિવારે સવારે પિયરથી પત્નીને સુલહ કરવાના બહાને બોલાવી, આખો દિવસ હરાવી-ફરાવી. અધારુ થતા જ જયપુર-દિલ્હી હાઈવે લઈ જઈને ગળુ દબાવીને તેણે પત્નીની હત્યા કરી નાંખી. પોલીસે જણાવ્યું કે દંપતીને ત્રણ મહિનાનું નાનું બાળક પણ છે. આરોપીને તેની પત્નીના ચારિત્ર્ય પર પણ શક હતો. ઊઠતાની સાથે જ મોબાઈલ ચેક કરવાની આદત છે? તો આ વાત જાણવી જરૂરી છે
ફેસબુક પર પત્નીના 6000 ફોલોઅર્સ, આખો દિવસ મોબાઈલ પર વ્યસ્ત રહેતી પત્નીની પતિએ કરી હત્યા
I am Gujarat 21 Jan 2020, 11:57 am