એપશહેર

હૈદરાબાદઃ ડૉક્ટરની લાશ સળગાવી હતી તે જ બ્રિજ નીચે ચારેય રાક્ષસો એન્કાઉન્ટરમાં ઠાર

Tejas Jinger | I am Gujarat 6 Dec 2019, 8:45 am
હૈદરાબાદઃ હૈદરાબાદમાં ડૉક્ટર સાથે દુષ્કૃત્ય કરીને લાશને આગ ચાંપી દેવાના કિસ્સામાં ચાર આરોપીઓ ભાગવાની કોશિશ કરી જેમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયા છે. સાઈબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનારે આરોપીઓને ઠાર કરાયાની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું કે આરોપીઓએ કેસના રિક્રિકેશન દરમિયાન ભાગવાની કોશિશ કરી હતી જેમાં તેમને ઠાર કરાયા છે. જણાવી દઈએ કે પોલીસે કરેલા એન્કાઉન્ટરમાં આરોપીઓ ઠાર કરાયા તે એ જ સ્થળ છે જ્યાં ઘૃણાસ્પદ કૃત્ય આચરવામાં આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળ પરથી ચારે આરોપીઓના મૃતદેહ હટાવી લીધા છે.શા માટે કરવામાં આવી રહ્યું હતું રિકંસ્ટ્રક્શનપોલીસ ચારે આરોપીઓને લઈને સીન રિકંસ્ટ્રક્શન માટે પહોંચી હતી. પોલીસ દ્વારા સીન રિકંસ્ટ્રક્શનની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી. નોંધનીય છે કે તપાસની કાર્યવાહીમાં સીન રિકંસ્ટ્રક્શનની તપાસ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે.યુપીના પૂર્વ ડીજીપીએ, પોલીસની કાર્યવાહીની કરી પ્રશંસાહૈદરાબાદ પોલીસે કરેલી સંપૂર્ણ કાર્યવાહી બાદ પૂર્વ ડીજીપી વિક્રમસિંહે યોગ્ય ઠેરવી છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં પોલીસ પાસે કોઈ વિકલ્પ હોતો નથી. એક ટીવી ચેનલ સાથે વાત કરીને તેમણે હૈદરાબાદ પોલીસને શુભેચ્છા પાઠવી છે.દેશભરમાં થઈ રહી છે પ્રશંસાહૈદરાબાદ પોલીસે જે કાર્યવાહી કરી તેની દેશભરમા પ્રશંસા થઈ રહી છે. દિલ્હી નિર્ભયા કેસની માતા એ પણ પોલીસને કરેલી કાર્યવાહીની પ્રશંસા કરી છે. આ ઘટના બાદ દેશભરમાં આરોપીઓને કડકમાં કડક સજા મળે અને જલદી ન્યાય સામે આવે તેવી માંગ ઉઠી રહી હતી.હૈદરાબાદની ધ્રજાવી દેનારી ઘટના 27મી નવેમ્બરની રાત્રે બની હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો