એપશહેર

હું નિર્ભયા કેસના બળાત્કારીઓને ફાંસી આપવા માટે તૈયાર છુંઃ પવન જલ્લાદ

નવરંગ સેન | I am Gujarat 8 Jan 2020, 4:59 pm
મેરઠઃ દિલ્હી કોર્ટે નિર્ભયા કેસના ચાર આરોપીઓ માટે ફાંસીની સજા જાહેર કરી છે. આ ચારેય જણાએ નિર્ભયા પર પાશવી બળાત્કાર ગુજર્યો હતો અને બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. દિલ્હી કોર્ટે ચારેય આરોપીઓની ફાંસીની સજા 22મી જાન્યુઆરીએ નક્કી કરી છે. ચારેયને મેરઠના પવન જલ્લાદ ફાંસી આપવાના છે. મેરઠના પવનની આ ત્રીજી પેઢી છે જે જલ્લાદનું કામ કરી રહી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો પવને જણાવ્યું છે કે હાલ તો મને ફાંસી આપવાને લઈને તિહાર જેલના સત્તાવાળાઓ પાસેથી કોઈ સત્તાવાર સૂચના મળી નથી. પરંતુ હું તેના માટે તૈયાર છું. થોડા દિવસ અગાઉ નિર્ભયા કેસમાં ફાંસી આપવાને લઈને મને સ્ટેન્ડબાય રહેવા જણાવવામાં આવ્યું હતું. હું બળાત્કારીઓને ફાંસી આપીશ તો એક પિતા તરીકે મને ઘણો સંતોષ થશે. નોંધનીય છે કે ચારેય બળાત્કારીઓને 22 જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવશે. ઉત્તર પ્રદેશના ડાયરેક્ટર જનરલે જણાવ્યું છે કે તિહાર જેલના વહિવટી તંત્રએ ઉત્તર પ્રદેશ જેલ સત્તાવાળાઓને જલ્લાદ માટે કોઈ નવી અરજી મોકલી નથી. ઉત્તર પ્રદેશ જેલ સત્તાવાળાઓ પાસે બે જલ્લાદ છે, જેમાં એક મેરઠમાં છે અને બીજો લખનઉમાં છે. તિહાર જેલના વહિવટી તંત્રએ તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ જેલ વહિવટી તંત્રને એક પત્ર લખીને જલ્લાદને સ્ટેન્ડબાય રાખવાની વિનંતી કરી છે. પવન હજી સુધી એક પણ વ્યક્તિને ફાંસી આપી શક્યો નથી. ચાર વર્ષ અગાઉ તેની પાસે નિઠારી કેસના ગુનેગાર સુરિન્દર કોલીને ફાંસી આપવાની તક આપી હતી પરંતુ હાઈકોર્ટે તેની ફાંસીની સજા આજીવન કેદમાં બદલી દેતા તેણે આ તક ગુમાવી દીધી હતી. પવને જણાવ્યું હતું કે મેં તેના માટે સાત દિવસ સુધી તૈયારીઓ કરી હતી પરંતુ હું ફાંસી આપી શક્યો ન હતો. જોકે, પવનને આશા છે કે આ વખતે તેને ફાંસી આપવાની તક મળશે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story