એપશહેર

મહારાષ્ટ્રમાં CM ખુરશીની ખેંચતાણઃ ફડણવીસે કહ્યું- 5 વર્ષ હું જ મુખ્યમંત્રી રહીશ

Tejas Jinger | I am Gujarat 29 Oct 2019, 2:36 pm
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદ માટે શરુ થયેલી ખેંચતાણનો અંત નથી આવી રહ્યો. શિવસેના ભાજપને દબાવવાની કોશિશ કરી રહ્યું છે પણ આ વખતે ભાજપે તેનો કડક જવાબ આપ્યો છે. ભાજપે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે મુખ્યમંત્રીની ખુરશી અંગે કોઈ વહેંચણી કરવામાં નહીં આવે એટલે કે મુખ્યમંત્રીની ખુરશી પર 5 વર્ષ સુધી દેવેન્દ્ર ફડણવીસ જ બેસશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: મહારાષ્ટ્રના પરિણામો બાદ મુખ્યમંત્રીની ખુરશી અંગે શિવસેના અને ભાજપ વચ્ચે શરુ થયેલી ખેંચતાણ પર ફડણવીસે કહ્યું કે, અમારા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે આ વાત અંગે પુષ્ટી કરી છે કે શિવસેના સાથે CM પોસ્ટને લઈને કોઈ નિર્ણય નથી થયો. તેમણે આગળ જણાવ્યું કે હજુ સુધી કોઈ ફોર્મ્યુલા નક્કી નથી કરાયો.શિવસેનાને નથી આપ્યો અઢી વર્ષનો વાયદોઃ ફડણવીસ50:50ના ફોર્મ્યુલા પર ફડણવીસે કહ્યું કે, હું આશ્વસ્ત કરી રહ્યો છું કે ભાજપની આગેવાનીવાળી સરકાર જ બનશે. તેમણે એ પણ કહ્યું કે હું હજુ પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી બનીશ. ચૂંટણી પહેલા જ ગઠબંધનને અંતિમ રુપ આપવામાં આવ્યું હતું, ત્યારે શિવસેનાને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદનો વાયદો નથી કરાયો.શું ઈચ્છે છે શિવસેના?શિવસેના મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહી છે અને તેનું કહેવું છે કે બન્ને પાર્ટીને અઢી-અઢી વર્ષ માટે પદ મળવં જોઈએ. ભાજપને આ પ્રપોઝલ સામે વાંધો છે, એવા સંકેત છે કે ભાજપ નાયબ મુખ્યમંત્રીનું પદ શિવસેનાને આપવા માટે તૈયાર છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો