નવી દિલ્હી: ICSE બોર્ડના છઠ્ઠા ધોરણના પુસ્તકમાં છપાયેલી એક તસવીર અંગે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા લોકો રોષ વ્યક્ત કરી રહ્યાં છે. પુસ્તકમાં છપાયેલી તસવીર દ્વારા મસ્જિદને ધ્વનિ પ્રદૂષણનું કારણ ગણાવવામાં આવી છે. ગુસ્સે થયેલા લોકો સોશિયલ મીડિયા પર ટીકા કરીને પબ્લિશરને માફી માંગવા માટે કહી રહ્યાં છે. આ ઉપરાંત લોકો આગામી આવૃત્તિઓમાં મસ્જિદની તસવીર ન છાપવાનું વચન પણ ઈચ્છે છે.
આવો છે મુદ્દો
સેલિના પબ્લિશર્સના છઠ્ઠા ધોરણના સાયન્સના પુસ્તકમાં ધ્વનિ પ્રદૂષણ પર એક ચેપ્ટર છે. તેમાં કાર, ટ્રેન, પ્લેનની સાથે મસ્જિદની તસવીર પણ છપાયેલી છે. આ તસવીરની સામે એક વ્યક્તિને અવાજથી પરેશાન થઈને પોતાના બંધ કરતો દેખાડવામાં આવ્યો છે.
પબ્લિશર્સે માંગી માફી
ધ્વનિ પ્રદૂષણના આ ચેપ્ટરથી ગુસ્સે ભરાયેલા સોશિયલ મીડિયા યૂઝર્સે એક ઓનલાઈટ પિટિશન દ્વારા પુસ્તકને બજારમાંથી પાછી ખેંચવાની માગણી કરી દીધી છે. આ મુદ્દે ICSE બોર્ડ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ પબ્લિશરે તેના માટે માફી માંગી છે. પબ્લિશર હેમંત ગુપ્તાએ કહ્યું છે કે, ‘પુસ્તકની નવી આવૃત્તિઓમાંથી મસ્જિદની તસવીર હટાવી દેવામાં આવશે. પુસ્તકના પેજ નંબર 202 પર છપાયેલી તસવીર એક કિલ્લાના ભાગ સાથે મેળ ખાય છે. જો આ તસવીર કોઈની ભાવનાઓને દુભાવે છે તો હું તેના માટે માફી માંગુ છું.’
સોનૂ નિગમવાળી ઘટના તાજી થઈ
તમને યાદ હશે કે, એપ્રિલમાં બોલિવૂડ સિંગર સોનૂ નિગમે કહ્યું હતું કે, મસ્જિદના લાઉડસ્પીકરથી આવનારા અઝાનના અવાજને કારણે તે સરખી રીતે રિયાઝ કરી શકતો નથી. તેના આ નિવેદનને કારણે મોટો વિવાદ સર્જાયો હતો.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.