એપશહેર

સત્તામાં આવીશું તો જીએસટીમાં ફેરફાર કરીશું: રાહુલ ગાંધી

Shailesh Thakkar | I am Gujarat 27 Sep 2018, 10:05 pm
I am Gujarat if congress comes to power gst will be changed
સત્તામાં આવીશું તો જીએસટીમાં ફેરફાર કરીશું: રાહુલ ગાંધી


નોટબંધી-GSTથી લઘુ ઉદ્યોગો ખતમ થઈ ગયા છે

વસ્તુ અને સેવાકર (જીએસટી)ના મુદ્દે પણ કેન્દ્ર સરકારને અડફેટે લેતી કોંગ્રેસનું કહેવું છે કે જો તેઓ સત્તામાં આવશે તો આ કર પ્રણાલી (જીએસટી)માં ફેરફાર કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં મીડિયાની સાથે વાતચીત દરમિયાન આ મુદ્દે વાત કરી હતી. તેમણે જીએસટીને ગબ્બર સિંહ ટેક્સની ઉપમા આપતા કહ્યું હતું કે નોટબંધી અને ગબ્બર સિંહ ટેક્સના કારણે ભારતમાં લઘુ ઉદ્યોગ સમાપ્ત થઇ ગયા અને બેરોજગારીમાં વધારો થયો છે. માટે કોંગ્રેસ જેવી સત્તામાં આવશે કે તરત જ ગબ્બર સિંહ ટેક્સને અસલી ટેક્સમાં પરિવર્તિત કરી દેવામાં આવશે.

મધ્યપ્રદેશની બે દિવસીય મુલાકાતે રાહુલ

મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ રાફેલ ડીલના મુદ્દે ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યુ હતુ કે હિન્દુસ્તાનના ચોકીદારે ચોરી કરી લીધી છે. વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ગરીબોના ખિસ્સામાંથી પૈસા કાઢીને પોતાના ઉદ્યોગપતિ મિત્રના ખિસ્સામાં મૂકી દીધા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે મધ્યપ્રદેશની બે દિવસીય મુલાકાતે છે, કે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો