એપશહેર

કોરોના ઈફેક્ટ: IIT પાસઆઉટ સ્ટૂડન્ટ્સને પણ નોકરી શોધવામાં પડી રહી છે તકલીફ

નવરંગ સેન | THE ECONOMIC TIMES 24 Apr 2020, 12:15 pm
નવી દિલ્હી: IITમાં ભણેલા એન્જિનિયર્સને કોલેજની બહાર નીકળતા જ નોકરીઓ મળી જતી હોય છે. જોકે, કોરોનાને કારણે આખી સ્થિતિ જ બદલાઈ ગઈ છે. હાલ પ્લેસમેન્ટ સીઝન ચાલી રહી હોવા છતાં IITના દસમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પાસે નોકરીઓની કોઈ ઓફર નથી. જે કંપનીઓએ સ્ટૂડન્ટ્સને જોબ ઓફર આપી દીધી છે તેમનો પણ સંપર્ક કરવા પ્રયાસો કરાઈ રહ્યા છે. કારણકે, આ કંપનીઓ હાલની સ્થિતિમાં સ્ટૂડન્ટ્સને નોકરીએ રાખશે કે નહીં તે કંઈ નક્કી નથી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોIIT કાનપુરની સ્ટૂડન્ટ્સ પ્લેસમેન્ટ ઓફિસના ચેરમેન કાંતેશ બાલાનીનું કહેવું છે કે, આ સ્થિતિની કોઈએ કલ્પના જ નહોતી કરી. ફ્રેશ સ્ટૂડન્ટ્સને નોકરી મળી રહે તે માટે IITs દ્વારા જૂના સ્ટૂડન્ટ્સનો સંપર્ક કરવા ઉપરાંત, જેમણે સ્ટાર્ટઅપ્સ શરુ કર્યા છે કે કંપનીઓમાં જેઓ ઉચ્ચ હોદ્દા પર છે તેમને કહીને પણ નોકરીઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.જે કંપનીઓએ અત્યારસુધી જોબની ઓફર કરી દીધી છે તેમાંથી ગાર્ટનરે જ તેને રદ્દ કરી છે. જ્યારે બીજી કેટલીક કંપનીઓ જે ઓફર અપાઈ હતી તેમાં ફેરફાર કરી રહી છે. મદ્રાસ, કાનપુર, દિલ્હી, રુરકી, ગુવાહાટી તેમજ બોમ્બે IITs દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટને ઓનલાઈન કરવામાં આવ્યું હતું કે પછી કરવામાં આવી રહ્યું છે. જ્યારે કેટલીક IIT જુલાઈમાં કેમ્પસમાં જ પ્લેસમેન્ટ રાખવા પ્લાન કરી રહી છે.IIT ગાંધીનગરમાં પણ 25 ટકા અંડરગ્રેજ્યુએટ સ્ટૂડન્ટ્સ જોબની રાહ જોઈ રહ્યાં છે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટૂડન્ટ્સનો આંકડો તેનાથી થોડો વધારે છે. સંસ્થાનું કહેવું છે કે તે વિવિધ રિક્રૂટર્સ સાથે સંપર્કમાં છે, અને ઓનલાઈન ઈન્ટર્વ્યુ પ્રોસેસ ચાલી રહી છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story