એપશહેર

Pics: સ્નોફોલ પછી વૈષ્ણોદેવીમાં જોવા મળ્યા આકર્ષક દ્રશ્ય, શ્રદ્ધાળુઓનો ધસારો વધ્યો

બોર્ડ તરફથી બરફવર્ષાને જોતા યાત્રાળુઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

I am Gujarat 28 Dec 2020, 6:41 pm
જમ્મુ-કાશ્મીરના સૌથી મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક માતા વૈષ્ણોદેવી મંદિરમાં રવિવારે રાતે ખૂબ જ બરફવર્ષા થઈ હતી. માતા વૈષ્ણોદેવી મંદિર જે ત્રિકુટા પહાડ પર સ્થિત છે. જ્યાં રવિવારે હિમપ્રપાત થયા પછી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. બોર્ડ તરફથી બરફવર્ષાને જોતા તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેથી ભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન નડે.
I am Gujarat images of snowfall in shri mata vaishno devi mandir
Pics: સ્નોફોલ પછી વૈષ્ણોદેવીમાં જોવા મળ્યા આકર્ષક દ્રશ્ય, શ્રદ્ધાળુઓનો ધસારો વધ્યો


વૈષ્ણોદેવીમાં ભારે બરફવર્ષા થઈ હતી


મુસાફરીના રસ્તા પર પણ ઢંકાઈ બરફની ચાદર
રવિવારે બરફવર્ષા થયા પછી સમગ્ર ટ્રેક પર જગ્યા જગ્યાએ બરફની ચાદર પથરાઈ છે. બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરીના રસ્તા પર બરફ હટાવવાનું કામ પણ સાથે સાથે જ ચાલી રહ્યું છે.

જોવા મળ્યા નયનરમ્ય દ્રશ્ય


બરફવર્ષા પછી વધી શ્રદ્ધાળુઓની સંખ્યા
બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે વર્ષના અંતિમ અઠવાડિયામાં આમ પણ ભક્તોની ખૂબ જ ભીડ હોય છે. જે પછી બરફવર્ષા થયા પછી તો ભક્તો ખૂબ જ વધ્યા છે. મુસાફરો બરફવર્ષા જોવા અહીં આવી રહ્યાં છે.

બરફ વર્ષાના કારણે શ્રદ્ધાળુઓ પણ વધ્યા છે


મંદિર ઉપરાંત હાઈવે પણ બંધ
વૈષ્ણોદેવી મંદિર ઉપરાંત જમ્મુ-શ્રીનગર હાઈવે પર પણ બરફવર્ષાના કારણે બંધ થઈ ગયો છે. જવાહર ટનલ આસપાસના વિસ્તારમાં બરફવર્ષા પછી અહીં અનેક વાહન ફસાયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો