એપશહેર

ખુશખબર! આંદામાન, કેરળ, તમિલનાડુમાં વહેલું થશે ચોમાસાનું આગમન, ઉત્તર ભારતમાં આજે વરસાદની આગાહી

IMD દ્વારા સોમવારના રોજ જાહેરાત કરવામાં આવી છે કે અંદમાનમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન સામાન્ય કરતા છ દિવસ પહેલા થઈ જશે. આટલુ જ નહીં, કેરળમાં પણ 27મી મેની આસપાસ ચોમાસાના પધામરા થઈ જશે. ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા નાગરિકો માટે આ એક રાહતના સમાચાર છે. આ સિવાય ઉત્તર ભારતમાં પણ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.

Edited byZakiya Vaniya | TNN 17 May 2022, 8:52 am
નવી દિલ્હી- India Meteorological Department (IMD) દ્વારા સોમવારના રોજ જાહેરાત કરવામાં આવી કે આંદામાન અને બંગાળની ખાડી પર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન સામાન્ય કરતા છ દિવસ પહેલા થઈ જશે. આટલુ જ નહીં, ગત સપ્તાહમાં કરવામાં આવેલી આગાહી અનુસાર, કેરળમાં પણ આ વર્ષે 27મી મેની આસપાસ ચોમાસાનું આગમન થઈ જશે. ગરમીથી ત્રાહિમામ પોકારી ચુકેલા દેશવાસીઓ માટે આ એક રાહતના સમાચાર છે.
I am Gujarat monsoon
ફાઈલ ફોટો


જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવાના દાવા વચ્ચે કોર્ટે શું આદેશ આપ્યા?
IMDના વૈજ્ઞાનિક આર.કે.જેનામણીએ જણાવ્યું કે, અમારી દેખરેખ અને વિશ્લેષણ અનુસાર, વહેલા ચોમાસા બાબતે કરવામાં આવેલી આગાહી સાચી પડશે. ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આગામી એક-બે દિવસમાં ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રી સેલ્યિસનો ઘટાડો થવાની શક્યતા છે. આટલુ જ નહીં, મધ્ય ભારતમાં પણ આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 3-4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે લક્ષદ્વીપ અને તમિલનાડુના દરિયા પર ચક્રવાતી પરિભ્રમણને કારણે આગામી પાંચ દિવસમાં કેરળ અને કર્ણાટકના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે તમિલનાડુમાં 18મી મે સુધી ચોમાસાનું આગમન થઈ શકે છે. આ સિવાય મધ્ય પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર અને ઉત્તરાખંડમાં મંગળવારના રોજ સામાન્ય વરસાદની આગાહી છે. આગામી 24 કલાકમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા કરા પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આ સમય દરમિયાન વીજળી અથવા તો ભારે પવન ફૂંકાવવાની પણ શક્યા છે.

ચારધામ: યાત્રાળુઓ પાસેથી વસૂલાઈ રહી છે વધુ કિંમત? પાણીની બોટલ 100 રૂપિયે!
નોંધનીય છે કે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં સોમવારના રોજ મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી થોડા દિવસમાં આ વિસ્તારમાં વાવાઝોડા અથવા વરસાદની શક્યતા છે. આગાહી સાચી પડશે તો લોકોને ભીષણ ગરમીથી રાહત મળશે. IMDના જણાવ્યા અનુસાર, દિલ્હીનો પારો ઘટીને 42.4 ડિગ્રી થઈ ગયો છે. રવિવારના રોજ દિલ્હીમાં વર્ષનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો.

Read Next Story