એપશહેર

જગતના તાત સાથે મજાક! 1 લાખના નુકસાન સામે પાક વીમા કંપનીએ 1 રૂપિયો આપ્યો

મધ્ય પ્રદેશના ખેડૂતની અઢી હેક્ટર જમીનમાં પાકના નુકસાન સામે વીમા કંપનીએ 1 રૂપિયો વળતર ચૂકવ્યું.

I am Gujarat 22 Sep 2020, 1:38 pm
જગતનો તાત કહેવાતો ખેડૂત લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. હાલમાં જ ખેડૂતો કૃષિ બિલનો વિરોધમાં પણ રસ્તાા પર ઉતર્યા હતા. જોકે તેમની સમસ્યાને સાંભળનારું કોઈ લાગતું નથી. મધ્ય પ્રદેશમાં મોટી સંખ્યામાં ખેડૂતો પાક વિમાની રકમ ખૂબ જ ઓછી મળી રહી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ વચ્ચે એક ખેડૂતને ઈન્સ્યોરન્સ કંપનીએ માત્ર 1 રૂપિયા વળતર ચૂકવ્યું હોવાની રિપોર્ટ આવી રહી છે.
I am Gujarat farmers
ખેડૂતની ફાઈલ તસવીર


ખાનગી મીડિયાના અહેવાલ મુજબ, મધ્ય પ્રદેશના બેતુલમાં એક ખેડૂતના બેન્ક એકાઉન્ટમાં પાક વિમા કંપનીએ 1 રૂપિયા નાખ્યો. મધ્ય પ્રદેશમાં મોટી સંખ્યામાં ખેડૂતો વીમા કંપનીઓ તરફથી નુકસાનની સરખામણીએ વળતર ઓછું મળતું હોવાની ફરિયાદ કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, મધ્ય પ્રદેશની સરકાર તરફથી 22 લાખ ખેડૂતોને વળતર ચૂકવાયું છે.

જેમાંથી એક બેતુલના ખેડૂત પુરણલાલ છે જેમને પોતાના અઢી હેક્ટરના પાકમાં થયેલા નુકસાનની ભરપાઈ પેટે 1 રૂપિયા ચૂકવવામાં આવ્યો છે. અન્ય બે ખેડૂતોને પણ વીમા કંપનીઓ તરફથી 70 અને 92 રૂપિયા ચૂકવાયા છે.

ખાનગી મીડિયાના રિપોર્ટ મુજબ, એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા આ મામલે જવાબ આપવાથી ઈનકાર કરી દેવાયો પરંતુ સીનિયર અધિકારીએ જણાવ્યું કે, વીમા કંપનીઓ દ્વારા 200 રૂપિયાથી ઓછું વળતર ચૂકવાયું હોય તેવા ખેડૂતોના નામ ફરીથી રિવ્યૂ કરવા કહેવાયું છે. અધિકારી ઉમેરે છે કે, ડિપાર્ટમેન્ટ આ મામલો ઈન્સ્યોરન્સ કંપની પાસે ફરીથી લઈ જશે.

રિપોર્ટ મુજબ, મધ્ય પ્રદેશમાં પાકની નુકસાની પેટે કુલ 64,893 ખેડૂતોને 81.71 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. જોકે તેમાંથી મોટાભાગના ખેડૂતોના એકાઉન્ટમાં સાવ નજીવી રકમ જ નાખવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો