એપશહેર

આખરે માન્યું ચીન, પૂર્વ લદાખમાંથી હટાવશે બધા સૈનિકો

વિપુલ પટેલ | Agencies 10 Jul 2020, 9:47 pm

નવી દિલ્હી: ભારત અને ચીને પૂર્વ લદાખમાં સરહદ વિવાદ પર રાજદ્વારી સ્તરની વાતચીત કરી અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સંપૂર્ણ રીતે શાંતિ જાળવવા માટે ક્ષેત્રમાંથી સૈનિકોને સંપૂર્ણ રીતે પાછા હટાવવા પર સંમતિ વ્યક્ત કરી. વિદશ મંત્રાલયે કહ્યું કે, ભારત-ચીન સરહદ મામલા પર ચર્ચા-વિચારમા અને સમન્વય માટે કાર્ય પ્રણાલી (WMCC)ની રૂપરેખા અંતર્ગત મીટિંગ યોજવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

મંત્રાલયે જણાવ્યું કે, બંને પક્ષોએ દ્વિપક્ષીય સમજૂતી તથા પ્રોટોકોલને અનુરુપ સરહદી વિસ્તારોમાં સંપૂર્ણ શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે એલએસીની આસપાસથી સૈનિકોને સંપૂર્ણ રીતે પાછા હટાવવાની વાતનો પુનરોચ્ચાર કર્યો. વિદેશ મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ‘તેમણે એ વાત પર પણ સંમતિ વ્યક્ત કરી કે દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર વિકાસ માટે સરહદી ક્ષેત્રોમાં લાંબાગાળાની શાંતિ જાળવી રાખવી જરૂરી છે.’

વીડિયો કોન્ફ્રેન્સિંગથી થયેલી વાતચીતમાં ભારતીય પક્ષની આગેવાની વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા)એ કરી, તો ચીનના પક્ષનું નેતૃત્વ ચીનના વિદેશ મંત્રાલયમાં સરહદ અને દરિયાઈ વિભાગના ડિરેક્ટર જનરલે કર્યું. મંત્રાલયે કહ્યું કે, ‘તેમણે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા કરી જેમાં પશ્ચિમ ક્ષેત્રમાં એલએસી પર ચાલી રહેલી સૈનિકોની પીછેહટની પ્રક્રિયાની પ્રગતિની સમીક્ષા પણ સામેલ છે.’ તેમણે કહ્યું કે, બંને પક્ષોએ સંમતિ વ્યક્ત કરી કે સીનિયર કમાન્ડોની વચ્ચે થયેલી સંમતિઓને ગંભીરતાથી લાગુ કરવાની જરૂર છે.

ભારત અને ચીનની સેનાઓની વચ્ચે પૂર્વ લદાખમાં છેલ્લા લગભગ 8 સપ્તાહથી ઘણી જગ્યાઓ પર અવરોધની સ્થિતિ બનેલી છે. ગત મહિને ગલવાન ઘાટીમાં હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા બાદ તણાવ વધી ગયો. ચીનની સેનાએ છેલ્લા પાંચ દિવસમાં ભારતીય સેનાની સંમતિઓને અનુરુપ ગતિરોધવાળા ત્રણ બિંદુઓથી સૈનિકોને પાછા હટાવ્યા છે. ક્ષેત્રમાં તણાવ ઓછો કરવા માટે બંને પક્ષોએ ગત કેટલાક સપ્તાહમાં ઘણા તબક્કાની કૂટનીતિક અને સૈન્ય મીટિંગ કરી છે.

આ IPS અધિકારીના નામથી ફફડે છે અપરાધીઓ, વિકાસ દુબે એન્કાઉન્ટરમાં છે મહત્વની ભૂમિકા

લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો