એપશહેર

ભારતમાં કોરોનાથી દોઢ લાખથી વધારેના મોત, દુનિયાનો ત્રીજો દેશ બન્યો

ભારતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો સવા લાખથી દોઢ લાખ સુધી પહોંચતા 60 દિવસ લાગ્યા

Reported byAmit Bhattacharya | TNN 6 Jan 2021, 11:13 am
નવી દિલ્હીઃ ભારત કોરોના વાયરસના કારણે 1.5 લાખ લોકોના મૃત્યુ પામ્યા હોય તેવો ત્રીજો દેશ બની ગયો છે. મંગળવારે દેશમાં આ આંકડો પાર થઈ ગયો છે. ભારતમાં એક લાખ 25 હજાર કેસથી દોઢ લાખ સુધીનો આંકડો પહોંચતા 60 દિવસનો સમય લાગ્યો છે. દેશમાં સૌથી પહેલા 25,000 મૃત્યુ કેસ થતા 126 દિવસ થયા હતા, જે પછી આ બીજા નંબરે સૌથી ધીમી ગતિએ વધેલા કેસ છે. જ્યારે સપ્ટેમ્બરમાં મહામારીના કારણે 22 દિવસમાં 25,000 લોકોના મોત થઈ ગયા હતા.
I am Gujarat india become third country to cross covid toll 1 5 lakh
ભારતમાં કોરોનાથી દોઢ લાખથી વધારેના મોત, દુનિયાનો ત્રીજો દેશ બન્યો


કોરોના વાયરસના કારણે સૌથી વધુ મૃત્યુ પામનારા દેશોમાં ભારત ત્રીજા નંબર છે. જેમાં સૌથી પહેલા અમેરિકા (3.6 લાખ લોકોના મૃત્યુ) અને બીજા નંબરે બ્રાઝિલ (2 લાખ જેટલા મોત) આવે છે, આ પછી ત્રીજા નંબર પર ભારત છે પરંતુ અહીં વસ્તીના પ્રમાણમાં મૃત્યુઆંક ઘણો ઓછો છે. ભારતમાં 10 લાખની વસ્તી સામે 108 લોકોના મોત થયા છે, જે 20 સૌથી વધુ કોરોનાના કેસ ધરાવતા દેશોમાં ઈન્ડોનેશિયા (84) પછી બીજા નંબરે આવે છે. જ્યારે અમેરિકા અને યુકેમાં આ આંકડો બહુ જ વિશાળ છે અમેરિકામાં 10,00,000ની વસ્તી સામે 1,093 અને યુકેમાં 1,121 વસ્તી છે.

ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં દેશના કુલ મૃત્યુમાંથી ત્રીજા ભાગના મૃત્યુ થયા છે, જે 50,000ની નજીક 49,695 પર પહોંચ્યો છે. જ્યારે તામિલનાડુ (12,177), કર્ણાટકા (12,118), દિલ્હી (10,609), પશ્ચિમ બંગાળ (9,841) અને ઉત્તરપ્રદેશ (8,434)માં દેશના અન્ય ભાગો કરતા મૃત્યુઆંક ઊંચો છે. આ 6 રાજ્યમાં દેશના કુલ કેસના 70% (68) કેસ નોંધાયેલા છે.

આ સિવાય પંજાબમાં 5,404 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, જ્યાંનો કેસ ફર્ટિલિટી રેટ (CFR) દેશમાં સૌથી ઊંચો છે. એટલે કે CFRની ટકાવારી 3.22% થાય છે, જે દેશના કુલ CFR 1.45% કરતા ડબલ છે. મહારાષ્ટ્રની CFR ટકાવારી 2.55% છે, જ્યારે નાનકડા સિક્કિમમાં આ ટકાવારી 2.18% છે.

મંગળવારે દેશમાં 263 લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. આ પાછલા 6 દિવસમાં નોંધાયેલો સૌથી મોટો આંકડો છે, આ સાથે કુલ આંકડો 1,50,097 થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં મંગળવારે પણ સતત સૌથી વધુ 64 કેસ નોંધાયા છે, આ પછી છત્તીસગઢ (54), કેરળ અને પશ્ચિમ બંગાળ (24) અને ઉત્તરપ્રેદશ (20)નો નંબર આવે છે.

આમ છતાં દેશમાં કોરોના વાયરસના કારણે થતા મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે.

મંગળવારે સામાન્ય કેસમાં ઉછાળો નોંધાયો છે, જેમાં 17,875 કેસ નોંધાયા છે. જેમાં કેરળમાં સૌથી વધારે 5,615 કેસ અને મહારાષ્ટ્રમાં 3,160 કેસ નોંધાયેલા છે. છત્તીસગઢમાં પણ રોજ નોંધાતા કેસમાં વધારો થવાની સાથે આંકડો 1,021 પર પહોંચ્યો છે.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ રાજ્ય સરકારો પાસેથી એકઠા કરેલા નંબર પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 1,03,75,469 પર પહોંચી ગયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો