એપશહેર

કોરોનાઃ દેશમાં રિકવરી રેટ 90 ટકા થયો, 3 દિવસમાં એક્ટિવ કેસોની સંખ્યા 58 હજાર ઘટી

દિવાળી પહેલા જ કોરોના હારવા લાગ્યો હોવાના સંકેત પરંતુ સાવધાની છૂટી અને દુર્ઘટના ઘટી તેના જેવી સ્થિતિ ન ઉભી થાય માટે નિષ્ણાંતોની ચેતવણી

I am Gujarat 25 Oct 2020, 9:30 am
દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 78 લાખ 24 હજાર 157 થઈ ગયો છે. રાહતની વાત એ છે કે તેમાં 70 લાખ 25 હજાર 882 લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 6 લાખ 78 હજાર 802 દર્દીઓની હજુ સારવાર ચાલી રહી છે.
I am Gujarat india corona recovery rate at highest 90 percent in last 3 days corona active case sharp fall down
કોરોનાઃ દેશમાં રિકવરી રેટ 90 ટકા થયો, 3 દિવસમાં એક્ટિવ કેસોની સંખ્યા 58 હજાર ઘટી


ગત 5 દિવસના આંકડા પર નજર કરીએ તો રિક્વરી રેટમાં 2%નો વધારો નોંધાયો છે. 19 ઓક્ટોબરે 87% રિક્વરી રેટ હતો જે હવે વધીને 89.74% થઈ ગયો છે. છેલ્લાં 3 દિવસોમાં એક્ટિવ કેસમાં (એવા દર્દીઓની સંખ્યા જેની હાલ સારવાર ચાલી રહી છે) પણ 58 હજારનો ઘટાડો નોંધાયો છે.

દેશમાં હજુ 16 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્ય એવા છે જ્યાં એક્ટિવ કેસ 5 હજારથી ઓછા થઈ ગયા છે. સૌથી ઓછા દાદરા એન્ડ નગર હવેલીમાં 51, મિઝોરમમાં 175, આંદામાન નિકોબારમાં 204, સિક્કિમમાં 242 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, પુડ્ડુચેરી, ગોવા, હિમાચલ પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, લદ્દાખ અને ચંદીગઢમાં પણ એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.

આંધ્રપ્રદેશમાં 8 લાખથી વધુ દર્દી

આંધ્ર પ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા 8 લાખથી વધારે થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 8 લાખ 684 લોકો પોઝિટિવ જણાયા છે. રાહતની વાત એ છે કે તેમા 95.22 ટકા એટલે કે 7 લાખ 62 હજાર 419 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે 31 હજાર 721 દર્દીની સારવાર થઈ રહી છે. રિકવરીના કેસમાં પણ આંધ્ર પ્રદેશ દેશમાં સૌથી આગળ છે. સંક્રમણને લીધે અત્યાર સુધીમાં રાજ્યમાં 6544 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં 74.90 લાખ લોકોના ટેસ્ટ થયા છે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બિહાર ચૂંટણીમાં ભાજપના પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ પણ કોરોના સંક્રમિત થયા છે. તેઓ આઈસોલેટ થઈ ગયા છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ફડણવીસે કહ્યું હતું કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા, તેઓ પણ ટેસ્ટ કરાવી લે. આ પહેલા બિહારના 3 દિગ્ગજ ભાજપ નેતા ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદી, રાજીવ પ્રતાપ રૂડી અને શાહનવાઝ હુસૈન પણ સંક્રમિત થઈ ચુક્યા છે.

ગુજરાતમાં સારા સમાચાર

24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 52,980 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ 56,91,372 થયો છે. રાજ્યમાં 1021 નવા દર્દીઓ સામે 1013 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 1,48,585 એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે 815.08 ટેસ્ટ થાય છે.

સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું આગામી 3 મહિના મહત્ત્વના

સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષ વર્ધને તહેવારો અને શિયાળાની સીઝનને ધ્યાનમાં રાખી લોકોને અપીલ કરી છે કે કોરોના ગાઈડલાઈન્સને ફોલો કરો, સાથે જ કહ્યું, રાજ્યોએ ટેસ્ટિંગ, સર્વેલાન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવા અંગે ધ્યાન આપવું જોઈએ. કોરોનાની સ્થિતિ નક્કી કરવામાં આગામી 3 મહિના મહત્ત્વના હશે.

ટેસ્ટિંગનો આંકડો 10.10 કરોડને પાર

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, 23 ઓક્ટોબર સુધી દેશભરમાં 10 કરોડ 13 લાખ 82 હજાર 564 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. શુક્રવારે 12 લાખ 69 હજાર 479 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો