એપશહેર

'ભારત બનાવી રહ્યું છે ચીનમાં ગમે ત્યાં હુમલો કરી શકે તેવી મિસાઈલ'

નવરંગ સેન | PTI 13 Jul 2017, 1:34 pm
નવી દિલ્હી: હાલના સંજોગોમાં ભારત અને ચીનના સંબંધોમાં પણ ખટાશ આવી છે ત્યારે ભારત એવી મિસાઈલ તૈયાર કરી રહ્યું છે કે જે ચીનના ગમે તે ખૂણે હુમલો કરવા સક્ષમ હોય. આ દાવો બીજા કોઈએ નહીં, પણ અમેરિકાના એક્સપર્ટ્સે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભારત કાયમ પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને શસ્ત્રો વિકસાવતું હતું, પરંતુ હવે પાકિસ્તાનની સાથે ચીન પણ માથું ઉંચકી રહ્યું છે ત્યારે ભારત આ પ્રકારની મિસાઈલ વિકસાવી રહ્યું હોવાનું અમેરિકન એક્સપર્ટ્સનું માનવું છે. અમેરિકાના બે વરિષ્ઠ પરમાણુ વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ ભારત પાકિસ્તાનને નહીં પરંતુ પાડોશી દેશ ચીનને ધ્યાનમાં રાખીને પોતાના પરમાણુ હથિયારો અને દેશની પરમાણુ રણનીતિનું સતત આધુનિકીકરણ કરી રહ્યો છે. પહેલા ભારતનું ધ્યાન પાકિસ્તાન પર કેન્દ્રિત હતું પરંતુ હવે એવું લાગે છે કે ભારતનું જોર કોમ્યુનિસ્ટ દેશ ચીન તરફ વધુ છે. ઓનલાઈન મેગેઝીન આફ્ટર મિડનાઈટના જુલાઈ-ઓગસ્ટ અંકમાં છપાયેલા લેખમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારત હવે એક એવી મિસાઈલ બનાવી રહ્યું છે જે દક્ષિણ ભારતના પોતાના બેઝ પરથી સમગ્ર ચીનને નિશાન બનાવી શકે છે. ‘ઈન્ડિયન ન્યૂક્લિયર ફોર્સ 2017’ના શિર્ષકવાળા પોતાના લેખમાં હંસ એમ ક્રિસ્ટિનસન અને રોબર્ટ એસ નોરિસે લખ્યું છે કે અનુમાન મુજબ ભારત પાસે 150થી 200 પરમાણુ હથિયારો બનાવવા માટે પર્યાપ્ત માત્રામાં પ્લૂટોનિયમ છે પરંતુ સંભવત: તેણે 120થી 130 પરમાણુ હથિયારો જ બનાવ્યાં છે. બંને વિશેષજ્ઞોએ એવો દાવો કર્યો છે કે પરંપરાગત રીતે પાકિસ્તાન પર આધારિત ભારતની પરમાણુ રણનીતિમાં હવે ચીન પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લેખમાં કહેવાયું છે કે ભારતનું ધ્યાન પરંપરાગત રીતે પાકિસ્તાન તરફ પોતાની સુરક્ષાને મુદ્દે પરમાણુ હથિયાર વિક્સિત કરવા પર રહ્યું છે પરંતુ હવે ભારતનું પરમાણુ આધુનિકીકરણ સંકેત છે કે તે ચીન સાથે ભવિષ્યના વ્યૂહાત્મક સંબંધો પર વધુ ધ્યાન આપી રહ્યો છે. વિશેષજ્ઞોનું અનુમાન છે કે ભારત પાસે 7 પરમાણુ સક્ષમ પ્રણાલી છે. જેમાં વિમાનથી સંચાલિત થતી 2, જમીનથી સંચાલિત થતી 4 બેલિસ્ટિક મિસાઈલ અને સમુદ્રથી માર કરવામાં સક્ષમ એક બેલિસ્ટિક મિસાઈલ છે. લેખમાં જણાવાયું છે કે ઓછામાં ઓછી 4 વધુ પ્રણાલીઓ પર કામ ચાલી રહ્યું છે. તેને ઝડપથી વિક્સિત કરવામાં આવી રહી છે. આગામી દાયકા સુધીમાં તૈનાત થવાની સંભાવના છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો