એપશહેર

ભારતે કર્યું સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલના નેવી વર્ઝનનું સફળ પરિક્ષણ

દુશ્મન દેશના રડારની રેન્જમાં આવ્યા વગર ભારતીય નેવીનું જહાજ બ્રહ્મોસને દગી શકશે અને કંઈ સમજાય તે પહેલા તો દુશ્મન નેસ્તાનાબૂદ થઈ જશે.

TNN 18 Oct 2020, 3:28 pm
નવી દિલ્હીઃ સૈન્ય શક્તિનો વિસ્તાર કરી રહેલા ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતીય નૌસેના (Indian Navy)એ રવિવારે અરબ સાગર (Arabian Sea)માં પોતાની જંગી યુદ્ધ જહાજ આઇએનએસ ચેન્નઈ (INS Chennai)થી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ (Brahmos Supresonic Cruise Missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. મળતી જાણકારી મુજબ બ્રહ્મોસે પોતાના ટાર્ગેટને ચોકસાઇથી વેધી દીધું છે. તેનાથી ભારતીય નૌસેનાની તાકાત અનેક ગણી વધી ગઈ છે. તેને જંગી યુદ્ધ જહાજોમાં સુરક્ષા માટે લગાવવા અંગેની વાત સામે આવી રહી છે. આ લાંબા અંતરની ઘાતક મિસાઇલ છે.
I am Gujarat india successfully tested navy version of brahmos misslin from stealth destroyer ins chennai will ensure warships invincibility
ભારતે કર્યું સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલના નેવી વર્ઝનનું સફળ પરિક્ષણ


નોંધનીય છે કે ભારતે જે INS ચેન્નઈ પરથી બ્રહ્મોઝનું પરીક્ષણ કર્યું છે તે સ્વદેશી સ્તરે નિર્મિત સ્ટિલ્ધ ડિસ્ટ્રોયર છે. તેના પર બ્રહ્મોસને લગાવવાથી ભારતીય નેવીને તાકાતમાં અનેક ગણો વધારો થશે. આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ 400 કિલોમીટરથી વધુ અંતર સુધી ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે. ડિસ્ટ્રોયરમાં તેના આવવાથી ખરા અર્થમાં ભારતીય નેવીનું આ જહાજ યુદ્ધ સમયે દુશ્મનો માટે અદ્રશ્ય બનીને ખાત્મો કરવા માટે સક્ષમ બનશે. મિસાલઈની લોંગ રેન્જ અને ડિસ્ટ્રોયરના સ્ટિલ્ધ હોવાથી દશ્મનો દેશના જહાજોની રડાર રેન્જની બહાર રહીને પણ ધાર્યા નિશાના પાર પાડવા માટે ભારતીય નેવી સક્ષમ બનશે.

બ્રહ્મોસ એક રેમેજટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને સબમરીન, યુદ્ધ જહાજ, ફાઇટર પ્લેનો અને જમીનથી પણ લૉન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલને ભારત અને રશિયાએ સંયુક્ત ઉપક્રમ હેઠળ વિકસિત કરવામાં આવી છે. બ્રહ્મોસ મિસાઇલ ભારતીય નૌસેનાને દિવસ કે રાત કોઈ પણ સમયે અને કોઇ પણ મૌસમની સ્થિતિમાં સમુદ્ર કે જમીન પર કોઈ પણ ટાર્ગેટ પર પિનપોઇન્ટ ચોકસાઇ સાથે લાંબા અંતરથી હુમલો કરવા ક્ષમતા પ્રદાન કરે છે.

આ પહેલા ભારતે શુક્રવાર રાત્રે ઓડિશાના એક પરીક્ષણ કેન્દ્રથી સેનાના પ્રાયોગિક પરીક્ષણ હેઠળ પરમાણુ વિસ્ફોટક લઈ જવામાં સક્ષમ અને સ્વદેશમાં વિકસિત પૃથ્વી-2 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે જમીનથી જમીન પર માર કરનારી અત્યાધુનિક મિસાઇલને બાલાસોરની નજીક ચાંદીપુર સ્થિત એકીકૃત પરીક્ષણ કેન્દ્ર (આઇટીઆર)ના પ્રક્ષેપણ પરિસર-3થી રાત્રે લગભગ સાડા સાત વાગ્યે છોડવામાં આવી અને પરીક્ષણ સફળ રહ્યું.

થોડા દિવસો પહેલા ભારત જમીનથી જમીન પર માર કરનારી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના આ નવા સંસ્કરણનું એક પરીક્ષણ કરી ચૂક્યું છે. તેની સાથે જ વિકિરણ રોધી મિસાઇલ રૂદ્રમ-1 સહિત અનેક મિસાઇલનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લેઝર નિર્દેશિત ટેન્ક રોધી મિસાઇલ અને પરમાણુ ક્ષમતાવાળી હાઇપર સોનિક મિસાઇલ ‘શૌર્ય’નું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે મૂળભૂત સ્વરુપે 290 કિમીની રેન્જ ધરાવતી બ્રહ્મોઝ મિસાઇલની રેજિમેન્ટને ભારતે હાલ લદ્દાખ અને અરુણાચલમાં ચીન સાથે ચાલી રહેલા સરહદી વિવાદને ધ્યાને રાખીને ડિપ્લોય કરી છે. ત્યારે રૂદ્રમ-1ના સફળ પરીક્ષણને એક મોટી ઉપલબ્ધિ તરીકે જોવામાં આવે છે કારણ કે તે ભારત દ્વારા વિકસિત પહેલું વિકિરણ રોધી હથિયાર છે.

Read Next Story