એપશહેર

બાલાકોટ એરસ્ટ્રાઈકના બે વર્ષઃ વાયુસેનાએ લાંબા અંતરના હુમલાની પ્રેક્ટિસ કરી

જે ટૂકડીએ બે વર્ષ અગાઉ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર હુમલો કર્યો હતો તે જ ટૂકડીએ અભ્યાસ કર્યો

I am Gujarat 27 Feb 2021, 11:51 pm
બે વર્ષ અગાઉ પુલવામા હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહિદ થયા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓના અડ્ડાઓનો નાશ કરનારી વાયુસેનાની પાયલટ ટૂકડીએ લાંબા અંતરના હુમલાનો અભ્યાસ કર્યો છે. સૂત્રોએ શનિવારે આ જાણકારી આપતા કહ્યું હતું કે આ અભ્યાસ તાજેતરમાં જ કરવામાં આવ્યો છે.
I am Gujarat IAF10


વાયુસેનાના પ્રમુખ આરકેએસ ભદૌરીયાએ ઘણા લડાકુ વિમાનોની ટૂકડીમાં એક ફાઈટર જેડ ઉડાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વાયુસેનાના 12 મિરાજ 2000 વિમાનોએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર માઈસાલોથી હુમલો કર્યો હતો. આ આતંકી કેમ્પો સરહદથી 80 કિમી દૂર હતા.
મિરાજ 2000 લાંબા સમયથી વાયુસેનાના પ્રિય ફાઈટર જેટ રહ્યા છે જે ઘણા ઉદ્દેશ્ય માટે ઉપયોગમાં લેવામાં આવી શકે છે. મલ્ટીરોલ ફાઈટર જેટ મિરાજે કારગિલ યુદ્ધ દરમિયાન 1999મા પર્વતીય વિસ્તારોમાં દુશ્મનોના બંકરો પર લેઝર ગાઈડેડ બોંબ વરસાવ્યા હતા. વાયુસેનાના મિરાજ વિમાનોએ પાંચ સ્પાઈસ 2000 ગ્લાઈડ બોંબ બાલાકોટમાં લક્ષ્યાંક પર સચોટ નિશાન લગાવ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો