એપશહેર

પાકિસ્તાનને દુસ્સાહસ ભારે પડ્યું, 22 આતંકીઓ અને 7 કેમ્પનો સફાયો

Mitesh Purohit | Navbharat Times 20 Oct 2019, 3:56 pm
નવી દિલ્હીઃ છાસવારે સીઝફાયરનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાનને આ વખતે પોતાનું દુસ્સાહસ ખૂબ ભારે પડી ગયું છે. આજે પરોઢીયે પાકિસ્તાને સીઝફાયર વાયોલેશન કર્યું અને વળતા જવાબમાં ભારતે ઈંટનો જવાબ પથ્થરથી આપતા PoKમાં આતંકી કેમ્પોને નિશાનો બનાવ્યા હતા. ભારતની કાર્યવાહીમાં અહેવાલો અનુસાર 22 આતંકીઓ અને 7 આતંકી કેમ્પોનો સફાયો બોલી ગયો છે. તો પાકિસ્તાનના 11 સૈનિકો પણ ઠાર મરાયા છે. જ્યારે પાકિસ્તાન તરફથી સીઝફાયરના ઉલ્લંઘનરુપે કરવામાં આવેલ પ્રથમ બોમ્બમારીમાં 2 ભારતીય સૈનિકો આજે સવારે શહીદ થયા હતા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:ભારતીય સેનાએ આજે સવારે પાકિસ્તાન દ્વારા તંગધાર સેક્ટરમાં કરવામાં આવેલ ગોળીબારના વળતા જવાબ રુપે જબરજસ્ત હુમલો કર્યો હતો. રવિવારે વહેલી સવારે પાકિસ્તાને આતંકીઓને ભારતની સીમામાં ઘુસાડવાના પ્રયાસરુપે અંધાધૂંધ ફાયરિંગ શરું કર્યું હતું. મહત્વનું છે કે પાકિસ્તાન દ્વારા આ નાપાક હરકત એવા સમયે કરવામાં આવી છે જ્યારે કરતારપુર કોરિડોર ખોલવાનો સમય ખૂબ નજીક આવી ગયો છે. પાકિસ્તાનની આ નાપાક હરકતમાં બે ભારતીય સૈનિક શહિદ થયા હતા અને એક નાગરિક ઘાયલ થયો હતો.કોઈપણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ આ શસ્ત્રવિરામ ઉલ્લંઘનનો ભારતે જોરદાર જવાબ આપ્યો અને લાઈન ઓફ કંટ્રોલની પેલે પાર આવેલ આતંકવાદી કેમ્પોને પોતાના નિશાના બનાવ્યા હતા. ભારતીય સેનાએ વળાતા જવાબમાં હેવી આર્ટિલરીનો ઉપયોગ કરીને પાકિસ્તાની સેના દ્વારા સંચાલિત આતંકવાદી કેમ્પો પર રીતસર બોમ્બનો વરસાદ કર્યો હતો.

Read Next Story