એપશહેર

ઈ-ટિકિટ કેન્સલેશનથી મળતા રિફન્ડ માટે રેલવે લાવ્યું OTP આધારિત સિસ્ટમ

Tejas Jinger | I am Gujarat 30 Oct 2019, 10:28 am
નવી દિલ્હીઃ રેલવેની કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે અને તેને વધારે સરળ બનાવવા માટે સતત વિવિધ પ્રયાસો થતા રહે છે. હવે IRCTC (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) ઓટીપી (OTP- one time password) સિસ્ટમ દ્વારા રિફન્ડની સુવિધા આપવામાં આવશે. IRCTC દ્વારા અપાયેલા માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે આ પદ્ધતિ માત્ર તેમના અધિકૃત એજન્ટો દ્વારા બૂક કરાવાયેલી ઈ-ટિકિટો પર જ લાગુ કરાશે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “OTP આધારિત રિફન્ડ પ્રક્રિયા ઉપભોક્તાઓના લાભ માટે વ્યસ્થામાં વધારે પારદર્શિતા સુનિશ્ચિત કરશે. આ ઉપભોક્તા અનુકૂળ સુવિધા હશે, જ્યાં મુસાફરો કેન્સલ કરાવેલી ટિકિટ કે પૂર્ણ વેઈટિંગ લિસ્ટ ટિકિટ માટે તેના તરફથી એજન્ટ દ્વારા પ્રાપ્ત કરાયેલી રિફન્ડ રકમની ચોક્કસ માહિતી મેળવી શકશે.”અમદાવાદમાં ભાઈબીજના દિવસે તૂટી પડ્યો હતો આવો વરસાદએટલે કે જ્યારે મુસાફર પોતાની ટિકિટ રદ કરાવવા માગે છે તો તેના નંબર પર એક OTP આવશે જે IRTCTCના અધિકૃત એજન્ટ પાસે ટિકિટ બૂક કરાવી હોય તેની સાથે શેર કરવાનો રહેશે.IRCTCના એક અધિકારીએ જણાવ્યું કે, ટિકિટ બૂક કરાવતી વખતે પોતાનો જ નંબર આપો. અધિકારીના જણાવ્યા પ્રમાણે લગભગ 27 ટકા ટિકિટ રોજ સત્તાવાર એજન્ટો દ્વારા બૂક કરાવવામાં આવે છે, જેમાંથી 20 ટકા ટિકિટ રોજ રદ કરાવાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો