એપશહેર

ટ્રેનમાંથી પેન્ટ્રી કાર હટાવવાની તૈયારી! ઓનલાઈન ફૂડ બાબતે વિચારણા

લોકોને હવે એવી આદત થઈ ગઈ છે કે તેઓ મુસાફરી દરમિયાન ઘરેથી જમવાનું લાવી રહ્યા છે. રેલવેના આ નિર્ણયથી ઓછામાં ઓછા 10 હજાર લોકોની નોકરીઓ પર અસર થશે.

I am Gujarat 18 Oct 2020, 9:45 pm
કોરોના વાયરસની મહામારીના કારણે મહિનાઓ સુધી ટ્રેનોનું સંચાલન સ્થગિત રહ્યું હતું. બાદમાં પેન્ટ્રી કાર વિના સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. હવે રેલવે 300 ટ્રેનોમાં પેન્ટ્રી કાર હટાવવા માટે વિચારી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રેલવેના આ નિર્ણયથી રેલવે સેક્ટરમાં કાર્યરત ઓછામાં ઓછા 10 હજાર લોકોની નોકરીઓ પર અસર થશે. રેલવેની આવકને ઘણું નુકસાન થયું છે. બીજી બાજુ લોકોને હવે એવી આદત થઈ ગઈ છે કે તેઓ મુસાફરી દરમિયાન ઘરેથી જમવાનું લાવી રહ્યા છે. એક ટ્રેનની પેન્ટ્રી કારમાં 20થી 30 લોકો કામ કરે છે કે જેમાં રસોઈયાથી લઈને વેઈટર્સ સહિતના લોકો સામેલ હોય છે. આ હિસાબથી જો 300 ટ્રેનોમાં પેન્ટ્રી કાર હટાવવાનો નિર્ણય લેવામાં આવે તો લગભગ 10 હજાર નોકરીઓ પર અસર થઈ શકે છે.
I am Gujarat q7


રેલવે હવે ઈ-કેટરિંગ પર વિચાર કરી રહ્યું છે. આ સિવાય મોટા સ્ટેશનો પર બેઝ કિચન તૈયાર કરવાની પણ યોજના છે. રિપોર્ટ મુજબ આ પ્રસ્તાવ બે મોટા રેલવે યૂનિયન તરફથી રજૂ કરાયો છે. જાણકારી મુજબ, રેલવેએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે.

યૂનિયને પોતાનો પ્રસ્તાવ રજૂ કરતા એવું પણ કહ્યું છે કે પેન્ટ્રીમાં કામ કરતા લોકો રેલવેનો સ્ટાફ નથી. તેઓ પ્રાઈવેટ કોન્ટ્રાક્ટર માટે કામ કરે છે. તેવામાં રેલવે યૂનિયનને આ પ્રસ્તાવ રજૂ કરવામાં કોઈ આપત્તિ નથી. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે પેન્ટ્રી કારને એસી 3-ટાયરથી રિપ્લેસ કરવાથી રેલવેને આશરે 1400 કરોડની વાર્ષિક આવક થશે. પેન્ટ્રી કારની સુવિધા મેલ, એક્સપ્રેસ, સુપરફાસ્ટ અને પ્રીમિયમ સર્વિસ ટ્રેનોમાં સામેલ છે. હાલ 350 જોડી ટ્રેનોમાં પેન્ટ્રીની સુવિધા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો