એપશહેર

પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિએ કહ્યું- રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે આપણે સંપૂર્ણરીતે સક્ષમ

રાષ્ટ્રપતિએ આ અવસર પર ત્રણેય કૃષિ કાયદાઓ સંબંધિત ખેડૂતોની ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે ખેડૂતોના હિત માટે સરકાર સંપૂર્ણરીતે સમર્પિત છે.

I am Gujarat 25 Jan 2021, 11:28 pm
નવી દિલ્હી: દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 72મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે પ્રત્યેક પરિસ્થિતિમાં, આપણા રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માટે આપણે સંપૂર્ણરીતે સક્ષમ છીએ. ગત વર્ષે, ઘણાં પડકારો આપણી સામે આવ્યા પણ આપણા બહાદુર સૈનિકોએ તેને ઝીલી લીધા. તેમણે ગત વર્ષે લદ્દાખમાં ચીની સેનાની કાર્યવાહીને તેઓની વિસ્તારવાદી 'ગતિવિધિ' જણાવી અને કહ્યું કે ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે પણ ભારતીય સુરક્ષા બળ કોઈપણ 'દુસ્સાહસ'ને નિષ્ફળ કરવા માટે સંપૂર્ણ તૈયારી સાથે હાજર છે.
I am Gujarat w3


રાષ્ટ્રપતિએ આ અવસર પર ત્રણેય કૃષિ કાયદાઓ સંબંધિત ખેડૂતોની ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે ખેડૂતોના હિત માટે સરકાર સંપૂર્ણરીતે સમર્પિત છે. આ સિવાય કોરોના સામેની લડાઈનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે વિપરિત પરિસ્થિતિઓમાં કશું શીખવા મળે છે અને તે પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેમણે કહ્યું કે આત્મવિશ્વાસની સાથે ભારતે ઘણાં ક્ષેત્રોમાં મોટા પગલા લીધા છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને વિચારોને યાદ કરતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે દરેક સંભવ પ્રયાસ કરવાનો છે કે સમાજનો એકપણ સભ્ય દુ:ખી ના રહી જાય. તેમણે વધુમાં જણાવ્યું કે કોરોના વાયરસની મહામારી પર કાબૂ મેળવવા અને વિકસિત દેશોની સરખામણીમાં મૃત્યુદરને સીમિત રાખવામાં દેશના વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ અને વહીવટકર્તાઓ સહિત અન્ય લોકોએ સાથે મળીને અમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે ભારતને ખરા અર્થમાં 'ફાર્મસી ઓફ ધ વર્લ્ડ' કહેવામાં આવી રહ્યું છે. હવે આપણે કોરોના વેક્સિન પણ અન્ય દેશોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો