નવી દિલ્હીઃ બ્રિટીશ સરકારે કોરોના વાયરસની રસીને બુધવારે માન્યતા આપી છે ત્યારે હવે ટ્રાવેલ એજન્ટન્સ (Travel Agents) પાસે એવી ઈન્ક્વાયરી આવી રહી છે કે શું તેઓ યુકે (UK short trip) જાય તો તેમને રસી મળી શકે.
એક ટ્રાવેલ એજન્ટ છે કે જેઓ ત્રણ-નાઈટનું પેકેજ સ્પેશિયલ ભારતીયો માટે તૈયાર કરી રહ્યા છે કે જેમાં તેમને એક સાથે યુકેમાં કોરોના વાયરસની વેક્સીન પણ મેળવી શકાય.
બુધવારે યુકે પહેલો દેશ છે કે જ્યાં કોરોના સામે લડવા માટે ફાઈઝર/બાયોએનટેક વેક્સીન (Pfizer/BioNTech vaccine)ને ત્યાંના સ્વતંત્ર રેગ્યુલેટર મેડિસિન અને હેલ્થકેર પ્રોડક્ટ્સ એજન્સીએ માન્યતા આપી છે.
મુંબઈના ટ્રાવેલ એજન્ટે PTI સાથે વાત કરી છે કે, કેટલાક લોકોએ બુધવારે એવી પૂછપરછ કરી હતી કે, "ક્યારે અને કઈ રીતે" તેઓ યુકેનો પ્રવાસ ગોઠવીને કોરોનાની રસી લઈ શકે? તેમણે આગળ જણાવ્યું કે, "મે તેમને કહ્યું આ હજુ કહેવું બહુ વહેલું છે." તેમણે આગળ એ પણ જણાવ્યું કે યુકેમાં સૌથી પહેલા ઘરડી વ્યક્તિ અને હેલ્થ વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવશે.
EasyMyTrip.comના કૉ-ફાઉન્ડર નિશાંત પિટ્ટીએ જણાવ્યું કે, આ લંડન જવાની ઓફબીટ સીઝન છે, બુધવારે ફાઈઝર વેક્સીનની જાહેરાત થયા પછી તેમને પણ ઘણા લોકોએ પૂછપરછ માટે સંપર્ક કર્યો હતો, તેવામાં ઘણાંએ યુકેના વીઝા મેળવવા અંગે પણ વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, કંપની એ સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે કે શું યુકેની સરકાર પ્રવાસીઓને ફરજિયાત રીતે કોરન્ટાઈન કરે છે કે પછી ભારતીય પાસપોર્ટ ધરાવતા લોકો કોરોનાની વેક્સીન લઈ શકે છે કે નહીં. તેમણે કહ્યું કે, કંપની જે લોકો વેક્સીન માટે યુકે જવા માગે છે તેમના માટે ત્રણ નાઈટના પેકેજનું પ્લાનિંગ કરી રહી છે.
નિશાંતે આગળ એમ પણ કહ્યું કે, "અમે એરલાઈન્સ સાછે ડીલ કરી રહ્યા છે કે જેમાં અમને ફીક્સ પ્રાઈઝમાં સીટ મળી રહે. અમે લંડનમાં હોટલ સાથે ડીલ કરી લીધી છે. અને અમારે હોસ્પિટલ સાથે અમારે ડીલ કરવી પડશે કે જેના આધારે અમે પેકેજ તૈયાર કરી શકીએ."
હાલમાં યુકેની સરકારે એવો નિયમ નક્કી કર્યો છે કે જો આંતરાષ્ટ્રીય પ્રવાસી 15 ડિસેમ્બર પછી દેશમાં આવે તો 5 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે પછી છઠ્ઠા દિવસે તે વ્યક્તિનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. જો વ્યક્તિ કોરોના નેગેટિવ આવે તો તેને આઈસોલેશમાંથી રજા આપવામાં આવશે.
બુધવારે બેંગ્લુરુની કંપનીએ જણાવ્યું કે, ભારતીયો તપાસ કરી રહ્યા છે કે શું, નાની ટ્રીપ હોય તો કોરન્ટાઈન થયા વગર યુકેમાં ફાઈઝરની વેક્સીન મેળવી શકાય.
જોકે, ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડીયા (TAAI)ના અધ્યક્ષ જ્યોતિ મયાલ જણાવે છે કે, "અમે લોકો દ્વારા કરવામાં આવતી તપાસને ધ્યાનમાં રાખીને રાહ જોઈ રહ્યા છીએ અને નજર રાખી રહ્યા છીએ." તેમણે આગળ એ પણ જણાવ્યું કે, સરકારે કહ્યું છે કે રસીની કોઈ સાઈડ ઈફેક્ટ નથી, લોકોએ તે (કોરોનાની રસી) લેતા પહેલા તેના પર નજર રાખવી જરુરી છે.
એક ટ્રાવેલ એજન્ટ છે કે જેઓ ત્રણ-નાઈટનું પેકેજ સ્પેશિયલ ભારતીયો માટે તૈયાર કરી રહ્યા છે કે જેમાં તેમને એક સાથે યુકેમાં કોરોના વાયરસની વેક્સીન પણ મેળવી શકાય.
બુધવારે યુકે પહેલો દેશ છે કે જ્યાં કોરોના સામે લડવા માટે ફાઈઝર/બાયોએનટેક વેક્સીન (Pfizer/BioNTech vaccine)ને ત્યાંના સ્વતંત્ર રેગ્યુલેટર મેડિસિન અને હેલ્થકેર પ્રોડક્ટ્સ એજન્સીએ માન્યતા આપી છે.
મુંબઈના ટ્રાવેલ એજન્ટે PTI સાથે વાત કરી છે કે, કેટલાક લોકોએ બુધવારે એવી પૂછપરછ કરી હતી કે, "ક્યારે અને કઈ રીતે" તેઓ યુકેનો પ્રવાસ ગોઠવીને કોરોનાની રસી લઈ શકે? તેમણે આગળ જણાવ્યું કે, "મે તેમને કહ્યું આ હજુ કહેવું બહુ વહેલું છે." તેમણે આગળ એ પણ જણાવ્યું કે યુકેમાં સૌથી પહેલા ઘરડી વ્યક્તિ અને હેલ્થ વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવશે.
EasyMyTrip.comના કૉ-ફાઉન્ડર નિશાંત પિટ્ટીએ જણાવ્યું કે, આ લંડન જવાની ઓફબીટ સીઝન છે, બુધવારે ફાઈઝર વેક્સીનની જાહેરાત થયા પછી તેમને પણ ઘણા લોકોએ પૂછપરછ માટે સંપર્ક કર્યો હતો, તેવામાં ઘણાંએ યુકેના વીઝા મેળવવા અંગે પણ વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, કંપની એ સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે કે શું યુકેની સરકાર પ્રવાસીઓને ફરજિયાત રીતે કોરન્ટાઈન કરે છે કે પછી ભારતીય પાસપોર્ટ ધરાવતા લોકો કોરોનાની વેક્સીન લઈ શકે છે કે નહીં. તેમણે કહ્યું કે, કંપની જે લોકો વેક્સીન માટે યુકે જવા માગે છે તેમના માટે ત્રણ નાઈટના પેકેજનું પ્લાનિંગ કરી રહી છે.
નિશાંતે આગળ એમ પણ કહ્યું કે, "અમે એરલાઈન્સ સાછે ડીલ કરી રહ્યા છે કે જેમાં અમને ફીક્સ પ્રાઈઝમાં સીટ મળી રહે. અમે લંડનમાં હોટલ સાથે ડીલ કરી લીધી છે. અને અમારે હોસ્પિટલ સાથે અમારે ડીલ કરવી પડશે કે જેના આધારે અમે પેકેજ તૈયાર કરી શકીએ."
હાલમાં યુકેની સરકારે એવો નિયમ નક્કી કર્યો છે કે જો આંતરાષ્ટ્રીય પ્રવાસી 15 ડિસેમ્બર પછી દેશમાં આવે તો 5 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે પછી છઠ્ઠા દિવસે તે વ્યક્તિનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. જો વ્યક્તિ કોરોના નેગેટિવ આવે તો તેને આઈસોલેશમાંથી રજા આપવામાં આવશે.
બુધવારે બેંગ્લુરુની કંપનીએ જણાવ્યું કે, ભારતીયો તપાસ કરી રહ્યા છે કે શું, નાની ટ્રીપ હોય તો કોરન્ટાઈન થયા વગર યુકેમાં ફાઈઝરની વેક્સીન મેળવી શકાય.
જોકે, ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડીયા (TAAI)ના અધ્યક્ષ જ્યોતિ મયાલ જણાવે છે કે, "અમે લોકો દ્વારા કરવામાં આવતી તપાસને ધ્યાનમાં રાખીને રાહ જોઈ રહ્યા છીએ અને નજર રાખી રહ્યા છીએ." તેમણે આગળ એ પણ જણાવ્યું કે, સરકારે કહ્યું છે કે રસીની કોઈ સાઈડ ઈફેક્ટ નથી, લોકોએ તે (કોરોનાની રસી) લેતા પહેલા તેના પર નજર રાખવી જરુરી છે.