એપશહેર

ભારતમાં Covid-19 ટેસ્ટિંગ ક્ષમતા 12 લાખને પાર, સાજા થતા દર્દીઓની સંખ્યા વધી

ટેસ્ટિંગની ક્ષમતામાં વધારો કરવાથી કોરોના વાયરસને વધારે ફેલાતો અટકાવવામાં મદદ મળે છે.

TNN 23 Sep 2020, 10:28 am
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના ટેસ્ટિંગની ક્ષમતા સતતમાં સતત વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે આંકડો 12 લાખને પાર પહોંચ્યો હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું છે. ભારતમાં જે રીતે કોરોના વાયરસના કેસની સંખ્યા વધી રહી છે તેના પર કાબૂ મેળવવા માટે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે અને જેના કારણે વાયરસ એકથી બીજી વ્યક્તિ સુધી ફેલાતો અટકાવી શકાય. જે દેશોએ કોરોના વાયરસ પર કાબૂ મેળવી લીધો છે ત્યાં પણ હવે બીજો રાઉન્ડ શરુ થઈ રહ્યો છે.
I am Gujarat indias covid 19 testing capacity surges to over 12 lakh daily tests health ministry
ભારતમાં Covid-19 ટેસ્ટિંગ ક્ષમતા 12 લાખને પાર, સાજા થતા દર્દીઓની સંખ્યા વધી


કેન્દ્રય સ્વાસ્થ્ય મંત્રાલય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ટ્વીટમાં જણાવ્યું છે કે, "ભારતમાં રોજની કોરોના ટેસ્ટની ક્ષમતા 12 લાખ કરતા વધી ગઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં 6.5 કરોડ કરતા વધારે લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટેસ્ટિંગની સંખ્યા વધવાથી વહેલી તકે પોઝિટિવ દર્દીની ઓળખ થઈ શકે છે, અને પોઝિટિવિટી રેટ્સમાં પણ ઘટાડો થાય છે."

મંત્રાલયે જણાવ્યું કે કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારતના કુલ સરેરાશ ટેસ્ટ કરતા સારા પ્રમાણમાં TPM (Test Per Million) પ્રોસેસ કરાય છે જેના કારણે સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

શ્રમ અને રોજગાર મંત્રાલાયના જણાવ્યા પ્રમાણે ભારતમાં 1.6 કરોડ કરતા વધુ પ્રવાસી મજૂરો કોરોના કાળમાં કામના સ્થળેથી રવાના થયા છે. આ મજૂરો પોતાના કામના સ્થળેથી પોતાના વતન પરત ફર્યા છે. આ શ્રમિકો હવે ધીમે-ધીમે પોતાના કામના સ્થળો પર પરત ફરી રહ્યા છે, જોકે, કોરોના વાયરસના ડરના કારણે ઘણાં શ્રમિકો હમણાં કામ પર જવાનું ટાળી રહ્યા છે અને પોતાના ગામમાં અન્ય કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે.

ભારતમાં પાછલા 24 કલાકમાં 83,347 પોઝિટિવ કેસ નોંધાયા અને વધુ 1,085 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 56 લાખને પાર થઈ ગયો છે. ભારતમાં કુલ 9,75,861 એક્ટિવ કેસ છે અને 44,97,868 લોકો કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે.

ભારતમાં દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કેસમાંથી 17.7% કેસ છે, જ્યારે સાજા થયેલા દર્દીઓમાં ભારતની ટકાવારી 19.5% છે.

જર્મનીમાં ફરી કોરોના કેસ સામે આવી રહ્યા છે જેમાં RKI (Robert Koch Institute) મુજબ વધુ 1,769 પોઝિટિવ કેસ આવતા કુલ સંખ્યા 2,75,927 પર પહોંચી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો