એપશહેર

ભારતમાં કોરોનાના કેસ 4 કરોડને પાર થયા, ભારે ઉછાળા બાદ ત્રીજી લહેર ઠંડી પડી

કેરળમાં હજુ પણ સ્થિતિ બેકાબૂ, 2.87 લાખની સામે 55 હજારથી વધારે કેસ નોંધાયા

I am Gujarat 26 Jan 2022, 9:35 am

હાઈલાઈટ્સ:

  • અમેરિકા પછી ભારતે પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 4 કરોડને પાર કરી લીધા
  • દુનિયામાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ અમેરિકામાં સૌથી વધુ 7.3 કરોડ નોંધાયા છે
  • ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે આમ છતાં કેરળમાં સ્થિતિ બેકાબૂ બની છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat indias covid cases cross four crore new cases coming down
ભારતમાં કોરોનાના કેસ 4 કરોડને પાર થયા, ભારે ઉછાળા બાદ ત્રીજી લહેર ઠંડી પડી
ભારતમાં કોરોનાના રેકોર્ડ ઈન્ફેક્શનનો આંકડો 4 કરોડને પાર કરી ગયો છે, પાછલા ત્રણ અઠવાડિયામાં ત્રીજી લહેર દરમિયાન નવા કેસ વધતા કુલ સંક્રમણમાં 50 લાખનો વધારો થયો છે. અગાઉની બે લહેરો કરતા ત્રીજી લહેર મહદ અંશે કાબૂમાં દેખાઈ રહી છે.
ભારત કોરોનાના સૌથી વધુ સંક્રમિત દર્દીઓમાં બીજા નંબરે આવે છે, જ્યારે 7.3 કરોડ કેસ સાથે અમેરિકા પહેલા નંબર પર છે. ભારતે કોરોનાના 3 કરોડ કેસનો આંકડો 22 જૂન 2021ના રોજ પાર કર્યો હતો, એ સમયે દેશમાં બીજી લહેર ચાલી રહી હતી. તે સમય દરમિયાન કોરોનાના કેસમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. એ સમયે 40 દિવસમાં 2 કરોડ કેસ 3 કરોડ થઈ ગયા હતા.

આ સાથે દૈનિક મૃત્યુઆંકની ટકાવારીમાં 27 ટકાનો ઉછાળો નોંધાયો છે, જેમાં મંગળવારે વધુ 571 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પહેલા એક જ દિવસમાં 25 ઓગસ્ટ 2021 પછી 603 દર્દીઓના મોત નોંધાયા હતા. સોમવારે કુલ 449 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.

વલસાડમાં વર-વધૂએ લગ્નની રાત્રે 4 કલાક પોલીસ સ્ટેશનમાં વિતાવવા પડ્યા
કોરોનાની ત્રીજી લહેર ભારતમાં નબળી પડતી હોવાનું દેખાઈ રહ્યું છે, જોકે, કેરળમાં હજુ પણ કેસ કાબૂમાં આવ્યા નથી. મંગળવારે દેશમાં નોંધાયેલા 2.87 લાખમાંથી માત્ર કેરળમાં જ 55,475 કેસ નોંધાયા છે. અગાઉ 2.54 લાખ કેસ નોંધાયા હતા. જ્યારે અગાઉના અઠવાડિયે નવા કેસનો આંકડો 3.47 લાખને પાર થઈ ગયો હતો.

જ્યારે મહારાષ્ટ્રમાં 110 દિવસ પછી સૌથી વધારે 86 દર્દીઓના મોત થયા છે, જેમાંથી મુંબઈમાં 10નાં મોત નોંધાયા હતા.

આ સિવાય અન્ય રાજ્યોની વાત કરીએ તો મંગળવારે કેરળમાં 70, કર્ણાટકામાં 52, તામિલનાડુમાં 48, ગુજરાતમાં 28, છત્તીસગઢમાં 23, આસામમાં 19, હરિયાણામાં 18, જમ્મુ-કાશ્મીરમાં 14 અને આંધ્રપ્રદેશમાં 12 દર્દીઓના મોત થયા છે. દેશના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ત્રીજી લહેરના સૌથી વધુ મૃત્યુ મંગળવારે નોંધાયા છે.

આ સિવાય કેટલાક રાજ્યોમાં મૃત્યુઆંક ઊંચો રહ્યો છે, જેમાં પશ્ચિમ બંગાળમાં 36, દિલ્હીમાં 31, પંજાબમાં 30 અને રાજસ્થાનમાં 22 દર્દીઓના કોરોનાના લીધે મોત થયા છે.

નવા કેસમાં ઘટાડો થયો છે પરંતુ આગામી દિવસમાં નવા કેસની સંખ્યામાં ફરી એકવાર વધારો થવાની સંભાવના છે. નવા કેસમાં ઘટાડો થવાની સાથે એક્ટિવ કેસમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો