એપશહેર

ભારતમાં પાછલા ત્રણ અઠવાડિયાથી કોરોનાનો ગ્રાફ લગભગ સ્થિર

ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો નીચો આવી રહ્યો છે, એક્ટિવ કેસની સંખ્યમાં થયો ઘટાડો

TNN 30 Nov 2020, 7:53 am
નવી દિલ્હીઃ ભારતમાં પાછલા ત્રણ અઠવાડિયાથી કોરોનાનો ગ્રાફ સ્થિર રહ્યો છે. પાછલા સાત દિવસમાં નોંધાયેલા કેસ પાછલા બે અઠવાડિયા દરમિયાન નોંધાયેલા કેસ જેટલા જ છે.
I am Gujarat indias graph of fresh covid 19 cases remained plateaued for the third straight week
ભારતમાં પાછલા ત્રણ અઠવાડિયાથી કોરોનાનો ગ્રાફ લગભગ સ્થિર


પાછલા બે અઠવાડિયા કરતા આ વખતે કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. એટલે કે અગાઉના અઠવાડિયા અને પાછલા અઠવાડિયા દરમિયાનના આંકડામાં ફેરફાર છે.

પાછલા અઠવાડિયા (22થી 29 નવેમ્બર) દરમિયાન 2,91,903 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ પહેલાના અઠવાડિયે (8થી 15 નવેમ્બર) દરમિયાન 2,92,549 કેસ નોંધાયા હતા, જ્યારે 15થી 22 નવેમ્બર દરમિયાન 2,92,474 કેસ નોંધાયા હતા, અને મહિનાની શરુઆતના અઠવાડિયા વખતે એટલે કે 1થી 8 નવેમ્બર વખતે 3,24,474 કેસ નોંધાયા હતા.

પાછલા 7 દિવસમાં દેશમાં કોરોનાના કારણે 3,388 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પહેલાના અઠવાડિયે 3,641 મૃત્યુ નોંધાયા હતા અને તેના પહેલાના અઠવાડિયે આ આંકડો 4,076 હતો.

રવિવારે દેશમાં કોરોનાના કેસનો આંકડો 40,000ની નીચો ગયો હતો. જ્યાં કોરોના ઈન્ફેક્શનના 39,192 કેસ નોંધાયા છે, અમારા સહયોગી TOI દ્વારા રાજ્ય સરકારો દ્વારા મેળવવામાં આવતા આંકડામાં જોવા મળ્યું કે શુક્રવારથી કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો.

પાછલા ત્રણ દિવસમાં કોરોના વાયરસથી થનારા મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે જેમાં ગઈકાલે 445, શનિવારે 490 અને શુક્રવારે 481 લોકોએ દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો.

ભારતમાં નવા કેસના આંકડામાં ઘટાડો નોંધાવાની સાથે એક્ટિવ કેસના આંકડામાં પણ ઘટાડો થઈ રહ્યો છે, હવે દેશમાં 4.5 લાખ એક્ટિવ કેસ છે, અને બે દિવસથી તેમાં ઘટાડો નોંધાયો છે. આ પહેલા 21 નવેમ્બરથી એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો.

સતત બીજા દિવસ કેરળમાં એક દિવસના સૌથી વધારે કેસ નોંધાયા છે, રવિવારે અહીં 5,643 કેસ નોંધાયા છે. આ પછી મહારાષ્ટ્ર (5,544) અને દિલ્હી (4,906)નો નંબર આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 85 લોકોએ પાછલા 24 કલાકમાં જીવ ગુમાવ્યો છે, જ્યારે દિલ્હીમાં 68 અને પશ્ચિમ બંગાળમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો છે.

આખા ભારતમાં આંધ્રપ્રદેશનો રિકવરી રેટ સૌથી ઊંચો છે, રાજ્યમાં રવિવાર સુધીમાં 98.2% દર્દીઓએ કોરોના વાયરસને હરાવી દીધો છે. ભારતમાં પણ કોરોનાના કેસની સંખ્યા ઘટતા એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

Read Next Story