એપશહેર

ચીનના કારણે લટકી પડ્યો ભારતનો આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ

Yogesh Gajjar | I am Gujarat 15 Oct 2017, 6:55 pm
ચીનના કારણે ભારતનો એક મહત્વપૂર્ણ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ અટકી ગયો છે. દક્ષિણ ભારતમાં આ પ્રોજેક્ટની કાર્યદક્ષતાનું મૂલ્યાંકન કરવા માટે ચાઈનીઝ રેલવે દ્વારા એક વર્ષ પહેલા સ્ટડી કરી હતી, પરંતુ તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. રેલવેના અધિકારીઓનું કહેવું છે કે, બની શકે કે ડોકલામ વિવાદને કારણે જવાબ ન આપવામાં આવ્યો હોય. 9 હાઈ-સ્પીડ પ્રોજેક્ટ્સના સ્ટેટસને લઈને મોબિલિટી ડિરેક્ટર તરફથી આપેલી જાણકારી આ બાબત સામે આવી છે. તેનાથી માલુમ પડે છે 492 કિમી લાંબા ચેન્નઈ-બેંગ્લુરુ-મૈસૂર કોરિડોરનું કામ હવામાં છે કારણ કે ચાઈનીઝ રેલવેએ અત્યાર સુધી મંત્રાલયને પોતાનો જવાબ નથી આપ્યો. મોબિલિટી ડિરેક્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલી ફાઈલ મુજબ, ચાઈનીઝ કંપનીએ નવેમ્બર 2016માં ફાઈનલ રિપોર્ટ સોંપ્યો હતો. તે પછી ચાઈનીઝ ટીમે ફેસ ટુ ફેસ વાતચીત કરવા કહ્યું છે. પરંતુ હજુસુધી તેમના તરફથી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. ફાઈલમાં જણાવ્યા મુજબ ચાઈનીઝ રેલવે તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવી હોવાને જવાબદાર ગણવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં તે પણ ઉલ્લેખ કરાયો છે કે ચાઈના રેલવે એરયુઅન એન્જિનિયરિંગ ગ્રુપ કંપની લિમિટેડ (CREEC)એ નવેમ્બર 2016માં રેલવે બોર્ડને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. અને તે પછી ચાઈનીઝ કંપનીના બોર્ડ અધિકારીઓ સાથે બેઠક કરવા કહ્યું હતું. જોકે અધિકારીઓનું કહેવું છે કે CREECના અધિકારીઓ સાથે કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. ઉલ્લેખનીય છે કે અધિકારીઓએ કહ્યુ, અભ્યાસ 2014માં શરૂ થયો હતો અને તેમણે 2016માં રિપોર્ટ સોંપ્યો. બધો જ ખર્ચ તેમણે ઉઠાવ્યો. અને તેમણે અન્ય પ્રોજેક્ટમાં સાથે કામ કરવાની પણ રૂચિ દર્શાવી હતી. એવામાં અમારું માનવું છે કે એવામાં ડોકલામ વિવાદના કારણે જ શંકા ઉત્પન્ન થાય છે. આ મામલામાં ચાઈનીઝ દૂતાવાસને મોકલામાં આવેલા ઈમેઈલનો પણ કોઈ જવાબ મળ્યો નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો