વિશ્વા મોહન, નવી દિલ્હી: જો દેશના 80 ટકા લોકો માસ્ક પહેરવા લાગશે તો કોરોના વાયરસનો ફેલાવો થતો તાત્કાલિક અટકી જશે, તેવા એક એનાલિસીસને ટાંકતા સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઝર (PSA) કાર્યાલય દ્વારા ગત મંગળવારે ઘરે સરળતાથી બનાવી શકાતા અને ફરીથી યૂઝ કરી શકાતા માસ્ક અંગે નિયમો જાહેર કર્યા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficialમાસ્ક પહેરવા ભાર મૂકતા PSAના કે વિજય રાઘવને કહ્યું કે, ‘ભારતમાં લોકો ગીચ વસ્તીમાં રહે છે, જેથી માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે.’વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ને ટાંકતા મેન્યુઅલમાં કહેવાયું છે કે, ‘જો આલ્કોહોલ યુક્ત હેન્ડ રબ કે સાબુ અને પાણીથી હાથ વારંવાર ધોયા બાદ માસ્કનો ઉપયોગ કરવામાં આવે તો જ અસરકારક છે. જો તમે માસ્ક પહેરો છો તો તેના ઉપયોગ અને તેનો યોગ્ય રીતે નિકાલ કરવાનું જાણતા હોવ તે જરૂરી છે.’PSA દ્વારા ઈશ્યૂ કરાયેલા મેન્યુઅલથી લોકોને ઘરે જ કોટનના કપડાં, કાતર અને સિવણ મશીનનો ઉપયોગ કરીને માસ્ક બનાવવામાં મદદ મળશે.અમેરિકાના નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન (NCB)નું એનાલિસીસમાં જણાવે છે કે કઈ રીતે માસ્ક પહેરવાથી કોવિડ-19નો ફેલાવો રોકી શકાય છે.NCBIના એનાલિસીસને ટાંકતા PSAએ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ‘જો 50 ટકા લોકો માસ્ક પહેરશે તો માત્ર 50 ટકા લોકો વાયરસથી ઈન્ફેક્ટેડ થશે. એક વખત 80 ટકા લોકો માસ્ક પહેરવા લાગશે તો વાયરસનો ફેલાવો તરત જ રોકાઈ જશે.’તેની પાછળનું કારણ જણાવતા એનાલિસીસમાં જણાવાયું છે કે, ‘કોવિડ-19 વાયરસ સરળતાથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કોવિડ-19 માટે જવાબદાર SARS-Cov2 વાયરસ હવામાં 3 કલાક જીવિત રહે છે અને પ્લાસ્ટિક તેમજ સ્ટીલ પર તે 3 દિવસ સુધી જીવિત રહે છે.’PSA કાર્યાલયે કહ્યું કે, આ મેન્યુઅલનો હેતુ સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકો પોતાની રીતે માસ્ક બનાવી શકે, તેનો વારંવાર ઉપયોગ કરી શકે તે છે.તેમાં કહેવાયું છે કે, ‘આ પ્રપોઝ્ડ ડિઝાઈનની મહત્વની બાબત તેના મટિરિયલ્સની સરળતાથી ઉપલબ્ધતા અને તે બનાવવામાં સરળ હોવું, તેમજ તેનો વારંવાર ઉપયોગ કરવાનું સરળ હોવું છે.’મેન્યુઅલરમાં કહેવાયું છે કે, માસ્ક પહેરવાથી ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી હવા દ્વારા અન્ય વ્યક્તિમાં કોરોના વાયરસના પ્રવેશવાની શક્યતા ઘટી જાય છે. મેન્યુઅલ મુજબ, અલ્ટ્રવાયોલેટ કિરણ, સાબુ અને આલ્કોહોલ જેવી વસ્તુઓથી સ્વસ્છ કરાયેલા માસ્કને પહેરવાથી વાયરસની શ્વસન તંત્રમાં પહોંચવાની શક્યતા ઓછી થઈ જાય છે.