એપશહેર

ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂને કોરોના, થોડા દિવસ પહેલા સંસદસત્રમાં રહ્યા હતા હાજર

ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે.

I am Gujarat 29 Sep 2020, 10:02 pm
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 60 લાખ પાર થયા છે. કોરોના વાયરસનો કહેર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. 2 ઓગસ્ટના રોજ ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે પછી નીતિન ગડકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હવે વધુ એક રાજનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે.
I am Gujarat indias vice president venkaiah naidu gets corona
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂને કોરોના, થોડા દિવસ પહેલા સંસદસત્રમાં રહ્યા હતા હાજર



મંગળવારે સવારે જ તપાસ માટે તેમનું સેમ્પલ મોકલવામાં આવ્યું હતું. જાણકારી અનુસાર તેમને કોરોનાના કોઈ લક્ષણ સામે નથી આવ્યા આ માટે તેમને એસિમ્પટોમેટિક દર્દી માનવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે 71 વર્ષના ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ રુટીન ટેસ્ટ કરાવવા ગયા હતાં ત્યારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના પત્ની ઉષા નાયડૂનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ પણ સેલ્ફ આઈસોલેશનમાં છે.

કોવિડ પછીના હેલ્થકેર વર્લ્ડ વિશે કરી હતી વાત
તાજેતરમાં જ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી)ના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, કોવિડ પછીની દુનિયામાં યોગ અને મેડિટેશનને રોજબરોજની જિંદગીનો ભાગ બનાવવા પર ભાર આપવું જોઈએ. લોકડાઉન ખૂલ્યા પછી સ્કૂલ અને કોલેજમાં આ બાબતોને લાગુ કરવી જોઈએ.' આ ઉપરાંત તેમણે સ્વસ્થ ભોજન લેવાની અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવાની સલાહ આપી હતી. આ કાર્યક્રમનો ટોપિક કોવિડ પછીનું હેલ્થકેર વર્લ્ડ હતું.

ઉમા ભારતી પણ છે સંક્રમિત
આ સિવાય ઉમા ભારતીએ પણ તાજેતરમાં હિમાચલ યાત્રા દરમિયાન પોતે કોરોના પોઝિટિવ હોવાની વાત ટ્વિટર પર શૅર કરી હતી. રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચે સ્થિત વંદે માતરમ કુંજ ખાતે ઉમા ભારતી ક્વોરન્ટીન છે.

Read Next Story