શ્રીનગર: આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ‘પોસ્ટર બૉય’ 22 વર્ષીય આતંકી બુરહાન વાનીના મૃત્યુ બાદ એક મહત્વની જાણકારી સામે આવી છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે સુરક્ષાદળોને બુરહાનને મારી નાખવામાં સફળતા તો મળી, પરંતુ તેની પાછળનું કારણ તેની ગર્લફ્રેન્ડ હતી.
સૂત્રો પ્રમાણે બુરહાનની ગર્લફ્રેન્ડ તેને મોબાઈલ પર બીજી છોકરી સાથે ચેટિંગ કરતાં જોઈ ગઈ હતી, માટે તે રિસાયેલી હતી. તેણે બુરહાનના લોકેશન વિશે એજન્સિઓને જાણકારી આપી અને જણાવ્યું કે બુરહાન ક્યારે અને ક્યાં આવશે.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે બુરહાનને અનેક મહિલાઓ સાથે સંબંધ હતા. તે આ મહિલાઓ સાથે ચેટિંગ અને ફોન પર વાતો કરતો હતો. આ વાત તેની ગર્લફ્રેન્ડને પસંદ ના હતી. તેણે અનેક વાર બુરહાનને આ માટે ટોક્યો હતો. બુરહાને વાત ના માની તો તેણે આ મહત્વની જાણકારી સુરક્ષાદળોની આપી દીધી.
જો કે, કહેવામાં આવે છે કે પાછલા અમુક દિવસથી બુરહાન વાનીની ગતિવિધીઓ સુરક્ષા એજન્સીઓના રડાર પર હતી. બે મહિના પહેલાં વાનીના અત્યંત નજીકના તારિક પંડિતે પુલવામામાં સરન્ડર કર્યુ હતુ.
સોશિયલ મીડિયા પર બુરહાનનો જે ફોટો વાયરલ થયો તેમાં પંડિત પણ શામેલ હતો. પંડિતની ધરપરડ થઈ ત્યારથી જ આશા હતી કે તે બુરહાન વિશે મહત્વની માહિતી આપશે.
બુરહનના મૃત્યુને ભારતીય સેના માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. જો કે આ માટે ઘાટીમાં તણાવપુર્ણ વાતાવારણ છે. અમુક વિસ્તારોમાં કર્ફ્યુ છે અને અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.
સૂત્રો પ્રમાણે બુરહાનની ગર્લફ્રેન્ડ તેને મોબાઈલ પર બીજી છોકરી સાથે ચેટિંગ કરતાં જોઈ ગઈ હતી, માટે તે રિસાયેલી હતી. તેણે બુરહાનના લોકેશન વિશે એજન્સિઓને જાણકારી આપી અને જણાવ્યું કે બુરહાન ક્યારે અને ક્યાં આવશે.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે બુરહાનને અનેક મહિલાઓ સાથે સંબંધ હતા. તે આ મહિલાઓ સાથે ચેટિંગ અને ફોન પર વાતો કરતો હતો. આ વાત તેની ગર્લફ્રેન્ડને પસંદ ના હતી. તેણે અનેક વાર બુરહાનને આ માટે ટોક્યો હતો. બુરહાને વાત ના માની તો તેણે આ મહત્વની જાણકારી સુરક્ષાદળોની આપી દીધી.
જો કે, કહેવામાં આવે છે કે પાછલા અમુક દિવસથી બુરહાન વાનીની ગતિવિધીઓ સુરક્ષા એજન્સીઓના રડાર પર હતી. બે મહિના પહેલાં વાનીના અત્યંત નજીકના તારિક પંડિતે પુલવામામાં સરન્ડર કર્યુ હતુ.
સોશિયલ મીડિયા પર બુરહાનનો જે ફોટો વાયરલ થયો તેમાં પંડિત પણ શામેલ હતો. પંડિતની ધરપરડ થઈ ત્યારથી જ આશા હતી કે તે બુરહાન વિશે મહત્વની માહિતી આપશે.
બુરહનના મૃત્યુને ભારતીય સેના માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. જો કે આ માટે ઘાટીમાં તણાવપુર્ણ વાતાવારણ છે. અમુક વિસ્તારોમાં કર્ફ્યુ છે અને અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.