એપશહેર

દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ ફરીથી થશે બંધ, આ છે કારણ

લોકડાઉન પછી 19 માર્ચથી તેજસ એક્સપ્રેસ ટ્રેનો બંધ હતી, તે પહેલી નવરાત્રિએ જ શરૂ કરવામાં આવી હતી, જે હવે ફરી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

I am Gujarat 17 Nov 2020, 5:43 pm
નવી દિલ્હી: દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસની ઝડપ પર ફરી એકવખત બ્રેક લાગવાની છે. રેલવે બોર્ડે લખનૌ-નવી દિલ્હી તેજસ એક્સપ્રેસ અને મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસનું સંચાલન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
I am Gujarat Tejas Express


જાણકારી મુજબ, તેજસ એક્સપ્રેસનું સંચાનલ 23 નવેમ્બર 2020થી બંધ થઈ જશે. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ, નવી દિલ્હી-લખનૌની વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસનું સંચાલન આગામી 23 નવેમ્બરથી, જ્યારે અમદાવાદ-મુંબઈની વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસનું સંચાલન આગામી 24 નવેમ્બરથી બંધ થશે. ઉલ્લેખનીય છે કે, તેજસ એક્સપ્રેસનું સંચાલન IRCTCના હાથમાં છે.

તેજસ એક્સપ્રેસ ટ્રેન બંધ થવા પાછળનું કારણ મુસાફરોની સંખ્યામાં ઘટાડાને જણાવાઈ રહ્યું છે .કોરોના સંક્રમણની વચ્ચે વીઆઈપી ટ્રેન તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરવા માટે ઘણા ઓછા મુસાફરોએ બુકિંગ કરાવ્યું, જેના કારણે રેલવેને આ ટ્રેન ચલાવવાથી કોઈ ખાસ આવક નથી થઈ રહી.

મુસાફરોમાં ઘટાડાને જોતાં IRCTCએ ટ્રેનને રદ કરવા પત્ર લખ્યો હતો. તે પછી રેલવે બોર્ડે 23 નવેમ્બરથી આગામી આદેશ સુધી તેજસ ટ્રેનની બધી સેવાઓને રદ કરવાનો નિર્ણય કર્યો. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2019માં દેશની પહેલી પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસની શરૂઆત થઈ હતી .

IRCTCએ લખનૌ-દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસ ઓક્ટોબર, 2019માં શરૂ કરી હતી. તે પછી અમદાવાદ-મુંબઈની વચ્ચે આ વર્ષે જાન્યુઆરીમાં તેજસ એક્સપ્રેસ શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, રેલવેએ 17 ઓક્ટોબર, 2020 એટલે કે નવરાત્રિના પહેલા દિવસે જ તેજસ ટ્રેન ફરી શરૂ કરી હતી. કોરોના મહામારી પછી લોકડાઉનના કારણે તેજસ એક્સપ્રેસનું સંચાલન 19 માર્ચ એટલે કે લગભગ 7 મહિનાથી બંધ હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો