એપશહેર

દયાશંકરની પત્નીને માયાવતીએ આપ્યો વળતો જવાબ

I am Gujarat 22 Jul 2016, 3:17 pm
લખનૌ: બીએસપી ચીફ માયાવતી પર અભદ્ર ટિપ્પણીમાં વિવાદો પુરા થવાનું નામ જ નથી લેતા. માયાવતી પર અપમાનિત ટીપ્પણી કરનારા દયાશંકર સિંહની પત્નીએ માયાવતીના વિરુધ્ધ એફઆઈઆર દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. દયાશંકરનાં પત્ની સ્વાતિએ કહ્યું કે, બીએસપીના લોકો મારા અને પરિવાર વિરુધ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે જેનાથી અમે અસુરક્ષિત અને અપમાનિત અનુભવી રહ્યા છીએ. ત્યારે માયાવતીએ સ્વાતિના આરોપો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે અમારી પાર્ટીના લોકો તેમની દીકરી માટે અપશબ્દોનો ઉપયોગ નહી કરે. પરંતુ બીએસપી કાર્યકર્તાઓને ખોટું લાગ્યું છે કે તેમના નેતાને અપશબ્દો કહેવામાં આવ્યા છે, તે પણ કોઈની બહેન અને દીકરી છે.
I am Gujarat it is only when dayashankars wifemotherdaughter were insulted did they understand insult of women mayawati
દયાશંકરની પત્નીને માયાવતીએ આપ્યો વળતો જવાબ


માયાવતીએ મીડિયાને કહ્યું કે, નબળો વર્ગ તેમને બહેન અથવા દેવી માને છે. તો તમે વિચારો આ અપમાનથી અમારા લોકોને કેવું લાગશે. જ્યારે મેં દયાશંકરની પત્નીને સાંભળ્યા તે મેં પાર્ટીના લોકોને કહ્યું કે ખરાબ શબ્દોનો ઉપયોદ ના થવો જોઈએ.

માયાવતીએ કહ્યું કે જ્યારે તેમને અપશબ્દો કહેવામાં આવ્યા ત્યારે દયાશંકરના પત્ની ચુપ રહ્યાં. તેમની પત્ની અને દીકરીને ગાળો આપવામાં આવી ત્યારે જઈને પરિવારને સમજાયું કે મહિલાનું અપમાન શું હોય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો