એપશહેર

લદાખમાં ચીનના સૈન્યને હંફાવનારા ITBPના જવાનોને મળશે વીરતા મેડલ

ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસના જવાનોએ પૂર્વ લદાખમાં ચીનના લશ્કર સામે અદમ્ય વીરતાનું પ્રદર્શન કર્યું હતું

I am Gujarat 14 Aug 2020, 4:47 pm
નવી દિલ્હીઃ ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)એ મે-જૂનમાં પૂર્વ લદાખમાં અદમ્ય વીરતાનું પ્રદર્શન કરનારા જવાનોને વીરતા મેડલ આપવાની ભલામણ કરી છે. આઈટીબીપીના જવાનોએ ચીનની સેના સાથેની અથડામણમાં અદમ્ય વીરતા દેખાડી હતી. 15 જૂને ગાલવાન ખીણમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે થયેલી અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જ્યારે ચીનના 40 સૈનિકો માર્યા ગયા હતા. જોકે, ચીને તેના કેટલા જવાનો માર્યા ગયા છે તેનો સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી.
I am Gujarat itbp awards 294 troops for bravery during recent skirmishes with chinese in ladakh
લદાખમાં ચીનના સૈન્યને હંફાવનારા ITBPના જવાનોને મળશે વીરતા મેડલ


આઈટીબીપીના જવાનોએ ચીની લશ્કરને હંફાવ્યું હતું

આઈટીબીપીના જવાનોએ પૂર્વ લદાખમાં થયેલી અથડામણ દરમિયાન શિલ્ડનો ઉપયોગ કર્યો હતો અને તેમણે પોતાના કરતા વધારે સંખ્યામાં રહેલા ચીની સૈનિકોને પડકાર આપ્યો હતો. તેમણે અદ્દભુત યુદ્ધ કૌશલનો પરિચય આપતા ખભાથી ખભા મીલાવીને બહાદૂરીથી સંઘર્ષ કર્યો અને ઘણા ઘાયલ જવાનોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા હતા. આઈટીબીપીના જવાનોએ આખી રાત ચીની સૈનિકોનો સામનો કર્યો અને 17થી 20 કલાક સુધી તેમને રોકી રાખ્યા હતા.

21 બહાદૂર જવાનોને વીરતા મેડલ માટે ભલામણ

આઈટીબીપીએ તે 21 જવાનોના નામ વીરતા મેડલ માટે મોકલ્યા છે જેમણે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોને હંફાવ્યા હતા. આઈટીપીબીના ડીજી એસ.એસ. દેસવાલે 294 આઈટીબીપી જવાનોને પૂર્વ લદાખમાં ચીનના સૈનિકોનો બહાદૂરી પૂર્વક સામનો કરવા માટે ડીજી પ્રશંસા પત્ર અને પ્રતિક ચિન્હ આપ્યું છે. છ અન્ય જવાનોને છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ સફળ અભિયાન માટે ડીજી પ્રશંસા પત્ર અને પ્રતિક ચિન્હ આપવામાં આવ્યું છે.

કોરોના કાળમાં પણ આઈટીપીબીના જવાનોએ કર્યું શ્રેષ્ઠ કામ

આ સાથે જ આઈટીબીપીએ પોતાના 318 કર્મચારીઓના નામ અને 40 અન્ય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓના નામ કેન્દ્રીય ગૃહ મંત્રી સ્પેશિયલ ઓપરેશન ડ્યુટી મેડલ માટે મોકલ્યા છે. તેમણે કોરોનાનો ચેપ ફેલાતો રોકવા અને અન્ય પ્રયાસોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આઈટીબીપી જાન્યુઆરીથી જ કોરોના વિરુદ્ધ સંઘર્ષમાં આગળ પડતું કામ કરી રહી છે. દળે દેશનું પ્રથમ 1000 બેડનું ક્વોરેન્ટીન કેન્દ્ર છાવલામાં બનાવ્યું હતું જેમાં વુહાન અને બાદમાં ઈટાલીના ભારતીય નાગરિકોને રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત દળ નવી દિલ્હીમાં 10,000 બેડ ધરાવતા વિશ્વના સૌથી મોટા સરદાર કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલને પણ સંચાલિત કરી રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો