એપશહેર

જયપુર: એન્જિનિયર પત્ની-કમ્પાઉન્ડર પતિના આપઘાત પાછળનું કારણ સામે આવ્યું

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તરુણના મોબાઈલ પર બપોરે અઢી વાગ્યે ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતુ કે મધુબાલાનું જયપુર ટ્રાન્સફર થઈ શકશે નહીં. આ અંગે તરુણે તેની પત્નીને જણાવ્યું હતું. આ સાંભળીને મધુબાલા કશું બોલ્યા વિના જ ઘરની બહાર નીકળી ગઈ હતી અને આપઘાત કર્યો હતો અને બચાવવા જતાં પતિનું પણ મોત થયું હતું.

Edited byદીપક ભાટી | Agencies 28 Jun 2022, 12:01 am
જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાં શનિવારે સાંજે 4 વાગે એક એન્જિનિયર મહિલાએ આપઘાત કર્યો હતો. તેને બચાવવા માટે કમ્પાઉન્ડર પતિ પણ પાણીમાં કૂદી પડ્યો હતો. ડૂબી જવાથી બંનેના મોત થયા હતા. લોકોએ જ્યારે બંનેને ડૂબતા જોયા તો તેમણે શિપ્રપથ પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે લોકોની મદદથી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. શરૂઆતમાં સાસરિયાના ત્રાસને કારણે એન્જિનિયર પત્નીએ પગલું ભર્યાની ચર્ચા હતી. જો કે, ખરેખર એન્જિનિયર મહિલા જયપુર ટ્રાન્સફર કરાવવા માગતી હતી. તેમને ખબર પડી કે તેનું જયપુર ટ્રાન્સફર થઈ શકશે નહીં એટલે તેણીએ આ પગલું ભર્યાનું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.
I am Gujarat Jaipur Husband Wife Suicide Case Updates
મૃતક પતિ-પત્નીની ફાઈલ તસવીર


ટ્રાન્સફર ન થતાં પત્નીએ આપઘાત કર્યો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તરુણના મોબાઈલ પર બપોરે અઢી વાગ્યે ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતુ કે મધુબાલાનું જયપુર ટ્રાન્સફર થઈ શકશે નહીં. આ અંગે તરુણે તેની પત્નીને જણાવ્યું હતું. આ સાંભળીને મધુબાલા કશું બોલ્યા વિના જ ઘરની બહાર નીકળી ગઈ હતી અને આપઘાત કરી લીધો. પત્નીને બચાવવા માટે પતિએ પ્રયાસ કરતા તેનું પણ મોત થયું હતું.

પતિ બિહારમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તરુણ કુમાર સિંહ પટણા (બિહાર)માં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. તેની પત્ની મધુબાલા વીજળી વિભાગમાં AEN તરીકે તૈનાત હતી. હાલ તેમનું પોસ્ટિંગ સુરતગઢ (રાજસ્થાન)માં હતું. બંનેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. બંનેને 8 મહિનાની એક નાની છોકરી છે. તે થોડા દિવસો પહેલા માનસરોવરના ગણપતિ નગર સ્થિત પોતાના ઘરે આવ્યા હતા. તરુણ કુમાર સિંહના માતા-પિતા અહીં રહે છે.

8 મહિનાની બાળકીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
તરુણનો પરિવાર મૂળ કરૌલીનો છે, જે ઘણા સમયથી જયપુરમાં રહેતો હતો. પત્ની મધુબાલા રાજસ્થાનના અલવરની રહેવાસી છે. હૃદયદ્રાવક બનેલી આ ઘટનામાં આઠ માસની માસુમ બાળકીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો