એપશહેર

જેએનયુના ઉમર ખાલિદે આતંકવાદી બુરહાનના સમર્થનમાં લખી પોસ્ટ

I am Gujarat 10 Jul 2016, 11:40 am
નવી દિલ્હી: જેએનયુના રિસર્ચ સ્કોલર અને રાજદ્રોહના આરોપી ઉમર ખાલિદે કાશ્મીરમાં ઠાર મરાયેલા આતંકવાદી બુરહાન વાનીની પ્રશંસા કરતા તેની સરખામણી ક્રાંતિકારી સાથે કરી છે. ખાલિદે ફેસબુક પોસ્ટમાં બુરહાનની સરખામણી સાઉથ આફ્રિકા અને લેટિન અમેરિકન ક્રાંતિકારી ચે ગ્વેરા સાથે કરી છે.
I am Gujarat jnus research scholar umar khalid writes fb post in support of burhan wani
જેએનયુના ઉમર ખાલિદે આતંકવાદી બુરહાનના સમર્થનમાં લખી પોસ્ટ


વાનીના સમર્થનમાં લખેલી પોસ્ટમાં ઉમરે ચેને કોટ કર્યા છે. તેણે તેની શરૂઆતમાં લખ્યું છે કે, ‘મને મરવાનો કોઈ ગમ નથી, જો મારા મર્યા બાદ કોઈ મારી બંદૂક ઉઠવી લે અને ગોળી ચલાવવાનું ચાલુ રાખે- ચે ગ્વેરા.’ તેણે આગળ લખ્યું છે કે, ‘આ ચેના શબ્દ છે, પરંતુ બુરહાન વાનીના પણ હોઈ શકતા હતા. બુરહાન મોતથી ડરતો ન હતો. તે ગુલામીની જીંદગીથી ડરતો હતો. તે તેનાથી નફરત કરતો હતો. તે એક આઝાદ વ્યક્તિની જેમ જીવ્યો અને એક આઝાદ વ્યક્તિની મોત પણ મર્યો.’

તેણે આ પોસ્ટમાં સરકારને સવાલ પૂછ્યો છે કે, ‘તમે એવા લોકોને કેવી રીતે હરાવશો, જેણે ડરને હરાવી દીધો છે? તારી ઈચ્છાઓને શક્તિ મળે, બુરહાન. સંપૂર્ણ રીતે કાશ્મીરના લોકોના સાથ અને સમર્થનમાં.’ તે સાથે જ તેણે #FreeKashmir હેશટેગ પણ બનાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હિઝબુલ મુજાહિદ્દીનના ‘પોસ્ટર બોય’ વાનીને સુરક્ષા દળોએ શુક્રવારે ઠાર કર્યો હતો. તે પછી શનિવારે વાનીના અંતિમ સંસ્કારમાં હજારોની ભીડ ઉમટી પડી. એ દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનમાં 12 લોકોના મોત થયા અને 200થી વધુ લોકો ઘાયલ થયા.

ઉમરની આ ફેસબુક પોસ્ટ બાદ તેને કેટલાક લોકોએ સોશયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. તેના પર તેણે વધુ એક પોસ્ટ લખી, ‘ટ્રોલર આર્મી, હું હાર માનું છું. કરોડોનો સામનો હું એકલો કેવી રીતે કરી શકું. હા, હું ખોટો હતો. મારે વાનીના મોતની ખુશીમાં તમારો સાથ આપવો જોઈતો હતો. દેશદ્રોહી, ગદ્દાર, આતંકવાદી… મને માફ કરજો, કાલથી હું તમારી રાષ્ટ્રવાદની મર્દાનગીને સંતુષ્ટ કરવામાં મદદ કરીશ. હું હત્યાઓ, રેપ અને ટોર્ચર, ગૂમ કરી દેવા, આફ્સપા અને બધી બાબતોથી ખુશ થઈશ.’

તેણે આગળ લખ્યું કે, ‘વાની જ કેમ, હું 2010માં ગડદા-પાટુનો માર મારી મારી નંખાયેલા 12 વર્ષના સમીન રાહની હત્યાને પણ યોગ્ય ઠેરવીશ. આસિયા અને નીલોફરનો પણ શોપિયાંમાં ક્યારેય રેપ નથી થયો, તેમની હત્યા નથી થઈ. હકિકતમાં તે પાસેથી પસાર થતી નહેરના એડી જેટલા પાણીમાં ડૂબીને મરી ગઈ હતી. 17 વર્ષના તુફેલ મટ્ટોએ પણ મરવું જ જોઈતું હતું, તે દેખાવકારોની બાજુમાં ઉભો જ કેમ રહ્યો હતો? ખોટી જગ્યાએ, ખોટા સમયે- તેની જ ભૂલ હતી. હંદવાડા અને કુનાન પોશપોરામાં કંઈ નહોંતું થયું. કાલથી હું પણ નબળાઓને હેરાન કરી ખુશ અને શક્તિશાળી બનનારી તમારી ભીડનો ભાગ બની જઈશ, પણ મારા રાષ્ટ્રવાદી દોસ્તો, મને એક વાત જણાવો કે શું તેનાથી કાશ્મીરની વાસ્તવિક સ્થિતિ બદલાઈ જશે?

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો