એપશહેર

દેશના પહેલા લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષે લીધા શપથ

Mitesh Purohit | Navbharat Times 23 Mar 2019, 12:16 pm
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષે દેશના પહેલા લોકપાલ તરીકે આજે શપથ ગ્રહણ કર્યા છે. સામાન્ય ચૂંટણીની પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા લોકપાલની નિમણુંક કરવાથી રાજકીય વિવાદ પણ ઉભો થયો છે. જસ્ટિષ ઘોષને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના પહેલા લોકપાલ તરીકે શપથ લેવડાવ્યા હતા. આ તકે વડાપ્રધાન મોદી પણ હાજર હતા. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો જસ્ટિસ ઘોષને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદના શપથ લેવડાવ્યા હતા. આ તકે ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીફ જસ્ટિસ રંજગ ગોગોઈ ઉપસ્થિત હતા. જસ્ટિસ ઘોષ આ પહેલા આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સદસ્ય પણ છે. લોકપાલમાં અન્ય 8 સદસ્યો પણ સામેલ
જસ્ટિસ પી.સી. ઘોષને લોકપાલ જાહેર કરવાની સાથે જ ન્યાયિક સદસ્યો તરીકે જસ્ટિસ દિલીપ બી. ભોંસલે, જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી, જસ્ટિસ અભિલાષા કુમારી, જસ્ટિસ અજય કુમાર ત્રિપાઠીનો પણ સમાવેશ કરવામાં આવ્યા છે. આ ન્યાયિક સદસ્યો ઉપરાંત કમિટીના 4 અન્ય સદસ્યો તરીકે દિનેશ કુમાર જૈન, અર્ચના રામસુંદરમ, મહેન્દ્ર સિંહ અને ડૉક્ટર ઇંદ્રજીત પ્રસાદ ગૌતમ પણ સામેલ કરવામાં આવ્યા છે. પસંદગી સમિતિની બેઠકમાં નહોતા ગયા ખડગે
તમને જણાવી દઈએ કે લોકપાલની નિયુક્તિ કરતી હાઈપાવર સિલેક્ટ કમિટીમાં વડાપ્રધાન, ચીફ જસ્ટિસ અથવા તેમના દ્વારા અનુમોદન પામેલ જજ, વિપક્ષના નેતા, લોકસભા અધ્યક્ષ અને એક જ્યુરિસ્ટ હોય છે. જોકે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકપાલ કમિટીની બેઠકમાં ભાગ લેવાની ના પડતા તેને સરકારની મનમાની ગણાવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો