એપશહેર

1.30 લાખ કેસમાં ચૂકાદો આપીને આ જજે બનાવ્યો ઈતિહાસ

Hitesh Mori | I am Gujarat 1 Nov 2019, 4:50 pm
પ્રયાગરાજઃ ઈલાહાબાદ હાઈકોર્ટના સીનિયર જસ્ટિસ સુધીર અગ્રવાલે નવો રેકોર્ડ બનાવ્યો છે. જસ્ટિસ અગ્રવાલ સૌથી વધારે કેસોમાં ચૂકાદો આપનારા ભારતના જ નહીં પરંતુ એશિયાના પહેલા જજ બની ગયા છે. જસ્ટિસ અગ્રવાલ 31 ઓક્ટોબર સુધીમાં 1 લાખ 30 હજાર 481 કેસમાં ચૂકાદો આપી ચૂક્યા છે. જસ્ટિસ અગ્રવાલ અયોધ્યા વિવાદ પર ચૂકાદો આપનારી ઈલાહાબાદ હાઈકોર્ટની ખંડપીઠમાં પણ હતા. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો આ પહેલા ગત વર્ષે જસ્ટિસ અગ્રવાલે એક લાખ 12 હજાર કેસમાં ચૂકાદો આપનારા દેશના પહેલા જજ બન્યા હતા. જસ્ટિસ અગ્રવાલની પાંચ ઓક્ટોબર 2005ના રોજ ઈલાહાબાદ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી. તેમનો કાર્યકાળ 23 એપ્રિલ 2020 સુધી છે. 10 ઓગસ્ટ 2007માં ઈલાહાબાદ હાઈકોર્ટના સ્થાયી જજના પદ માટે શપથ લીધા, 24 એપ્રિલ 1958ના રોજ યૂપીના શિકોહાબાદમાં જન્મેલા જસ્ટિસ અગ્રવાલ પોતાના કડક નિર્ણયોને કારણે જાણીતા છે. જસ્ટિસ અગ્રવાલ અયોધ્યામાં રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર ચૂકાદો આપીને ચર્ચામાં આવ્યા હતા. અયોધ્યા બાબરી મસ્જિદ વિવાદ ઉપરાંત તેમણે શંકરાચાર્ય બદ્રકાશ્રમ પીઠ વિવાદ, સરકારી સ્કૂલોમાં વીઆઈપીના બાળકોને અભ્યાસ કરાવવા જેવા કેસમાં તેમણે મહત્વના ચૂકાદા આપ્યા છે.

Read Next Story