ફેઝ સિદ્દિકી, કાનપુર: પાણીપુરી પ્રેમીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. કોરોના વાયરસ ફેલાવાના ભયથી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને કાનપુરમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશભરમાં પાણીપુરી એ ગોલગપ્પા, બતાશા અને પુચકા જેવા અલગ-અલગ નામની ઓળખાય છે. અનલોક-1 જાહેર થતા પાણીપુરીનું વેચાણ ફરીથી શરૂ થયું હતું. પરંતુ પાણીપુરીની લારી પર સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને કારણે કોરોના ઝડપથી ફેલાઈ શકે છે તેવા ભયથી જિલ્લા પ્રશાસને મંગળવારે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકયો હતો.ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડૉ. બ્રહ્મદેવ રામ તિવારીએ જણાવ્યું કે, ‘એવા ઈનપુટ હતા કે અનલોક-1માં છૂટછાટ મળ્યા બાદ સ્ટ્રીટ ફૂડ કાર્ટ્સમાં સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સની નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું.’ ખાસ કરીને પાણીપુરીના સ્ટોલમાં ધારાધોરણોનું પાલન ન થતા હોવાનું પણ સામે આવ્યું છે. પાણીપુરીના વેન્ડર્સે માસ્ક, ગ્લોવ્ઝ અને યોગ્ય સ્વચ્છતાનું પાલન કરવું જોઈતું હતું તેવું કઈંજ દેખાયું નહોતું. રાજ્યમાં પહેલાથી જ કેસો વધી રહ્યા હોવાથી સંક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટે શહેરમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.ડીએમે કહ્યું હતું કે, બધી દુકાન પર સોશિયલ ડિસ્ટન્સિંગ કડક રીતે જાળવવાની જરૂર છે અને દરેક વ્યક્તિએ માસ્કનો ઉપયોગ કરવો જોઇએ. સ્વરૂપનગરના પાણીપુરી વિક્રેતા બબલુએ કહ્યું કે, ‘અમે માસ્ક અને ગ્લોવ્ઝ પહેરીને ખાદ્ય વસ્તુઓમાં સ્વચ્છતા જાળવીને રાખીએ છીએ. સામાજિક અંતર સુનિશ્ચિત કરવા ઉપરાંત, અમે આરઓ પાણીનો ઉપયોગ પણ કરી રહ્યા હતા.’
કોરોના વાયરસ ફેલાવાના ડરથી કાનપુરમાં પાણીપુરીના વેચાણ પર લાગ્યો પ્રતિબંધ
TNN 16 Jun 2020, 8:43 am