પ્રતિકાત્મક તસવીર નવી દિલ્હી: ઈંટરનેટ સામાન્ય માણસના જીવનમાં શું બદલાવ લાવી શકે છે તેનું ઉદાહરણ જોવા મળ્યું કેરલના એર્ણાકુલમ રેલવે સ્ટેશન પર. જ્યાં એક કુલીએ સરકારી નોકરી મેળવવાનું સપનું જોયું અને સાકાર કર્યું. આ કુલીએ કેરલ લોકસેવા આયોગની લેખિત પરીક્ષા પાસ કરી છે. હવે જો શ્રીનાથ પર્સનલ ઈંટરવ્યૂ પાસ કરી લેશે તો તેને જમીન મહેસૂલ વિભાગમાં ગ્રામ સેવકનું પદ મળશે. કેરલના મુન્નારના રહેવાસી શ્રીનાથ કે. છેલ્લા પાંચ વર્ષથી એર્ણાકુલમ રેલવે સ્ટેશન પર કુલી છે. ફ્રી વાઈફાઈનો કર્યો ઉપયોગ મુન્નાર પાસે આવેલા આ સૌથી મોટા રેલવે સ્ટેશન પર કુલી તરીકે કામ કરીને ગુજરાન ચલાવતા શ્રીનાથે પોતાના સારા દિવસોની ઈચ્છામાં સ્ટેશન પર ઉપલબ્ધ ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. અને આજે તે પર્સનલ ઈંટરવ્યૂના રાઉંડ માટે પસંદગી પામ્યા છે. જે બાદ તે સરકારી નોકરી મેળવવા માટે લાયક છે.
ડિજિટલ અભિયાનની અસર
સામાન્ય રીતે સિવિલ સેવાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને આપણે પુસ્તકોના બોજ તળે દબાયેલા જોઈએ છીએ. પરંતુ શ્રીનાથે સાબિત કર્યું સરકારના ‘ડિજિટલ અભિયાન’ હેઠળ લગાવેલા ફ્રી વાઈફાઈનો સદ્ઉપયોગ કઈ રીતે કરી શકાય. ધોરણ 10 પાસ શ્રીનાથે કુલીનું કામ કરતાં કરતાં જ પોતાના મોબાઈલમાં શિક્ષકોના લેક્ચર અને બીજું રીડિંગ મટિરિયલને ઈયર ફોન ભરાવીને સાંભળતાં હતાં. સાથે કોઈ ક્વેરી હોય તો શિક્ષકોને પૂછી પણ લેતા હતા. આ જ રીતે લોકોનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતાં જતાં જ ભણી લેતાં હતા.
પહેલી વખત વાઈફાઈથી અભ્યાસ કર્યો
શ્રીનાથે કહ્યું કે, “હું અગાઉ પણ 3 વાર આ પરીક્ષા આપી ચૂક્યો છું. પરંતુ આ વખતે પહેલીવાર સ્ટેશનના વાઈફાઈનો ઉપયોગ ભણવા માટે કર્યો. હું ઈયર ફોન કાનમાં લગાવીને એક્ઝામનું મટિરિયલ સાંભળતો હતો. લોકોનો સામાન જે-તે સ્થળે પહોંચાડતાં પહોંચાડતાં જ મારા મગજમાં સવાલો હલ કરતો હતો. અને જ્યારે રાત્રે મને સમય મળતો ત્યારે હું રિવિઝન કરી લેતો હતો.”
2016માં આવ્યું ફ્રી વાઈફાઈ
પ્રતિકાત્મક તસવીર ઉલ્લેખનીય છે કે, એર્ણાકુલમ રેલવે સ્ટેશન પર 2016માં ફ્રી વાઈફાઈ સુવિધા શરૂ કરાઈ હતી. રેલટેલ કોર્પોરેશન ઓફ ઈંડિયા લિમિટેડના ખુદરા બ્રોડબેંડ વિતરણ મોડલ રેલવાયર અંતર્ગત મુસાફરોને રેલવે સ્ટેશન પર ફ્રી ઈંટરનેટ આપવામાં આવે છે. શ્રીનાથે કહ્યું કે, “રેલવે સ્ટેશન પર ઉપલબ્ધ વાઈફાઈ સુવિધાએ મારા માટે નવી તકો ઊભી કરી છે. પ્રશ્નપત્રો સોલ્વ કરવામાં તેમજ ઓનલાઈન એક્ઝામનું ફોર્મ ભરવામાં આ સેવાની મદદ મળી સાથે જ પુસ્તકો ખરીદવા પાછળ થતો ખર્ચો પણ બચ્યો.”
ગામમાં પરિવર્તન લાવવું છે:શ્રીનાથ
શ્રીનાથે આ ઉપરાંત ડી સમૂહની રેલવેની અન્ય સરકારી નોકરીઓ માટે પણ અપ્લાય કર્યું છે. શ્રીનાથે કેવી નોકરી ગમે છે તેના જવાબમાં કહ્યું કે, “મારા માટે આદર્શ નોકરી એ હશે જેમાં મને થોડા અધિકાર મળે જેથી હું મારા ગામમાં થોડા પરિવર્તન લાવી શકું.”
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.