નવી દિલ્હીઃ કર્ણાટકમાં છેલ્લા બે સપ્તાહથી પણ વધુ સમયથી ચાલી રહેલા રાજકીય નાટકમાં હજુ પણ કંઈ સ્પષ્ટ થઈ રહ્યું નથી. એક તરફ આજે વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરવામાં આવી શકે છે જેને લઈને રાજકીય પક્ષો પોતપોતાની ગણતરી મુજબ સોગઠા ગોઠવી રહ્યાં છે. તો બે અપક્ષ ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે અને માગણી કરી છે કે સર્વોચ્ચ ન્યાયાલય કર્ણાટક સરકારને નિર્દેશ આપે કે સોમવારે કોઈપણ સ્થિતિમાં વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કરવામાં આવે. જ્યારે આ બધા વચ્ચે બેંગલુરુની હોટેલ્સ વોર રુમમાં ફેરવાઈ રહી છે. ભાજપે પોતાના ધારાસભ્યોની બેઠક રમાડા હોટેલમાં બોલાવી છે તો કોંગ્રેસે વિવાંતા હોટેલમાં નેતાઓને જમા કર્યા છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો જોકે કર્ણાટકની ગઠબંધન સરકારને BSP તરફથી એક રાહત મળી છે કે પક્ષના સુપ્રીમાો માયાવતીએ ટ્વિટ કરીને એકમાત્ર ધારાસભ્ય એન. મહેશને ફ્લોર ટેસ્ટ દરમિયાન સરકારના પક્ષમાં વોટ કરવા માટે આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે કર્ણાટકમાં શુક્રવારે જ બહુમત પરિક્ષણ કરવામાં આવનાર હતું પરંતુ તેને ટાળી દેવામાં આવ્યું હતું. કર્ણાટક ભાજપના અધ્યક્ષ બી.એસ. યેદીયુરપ્પાએ સોમવારે સવારે જ પોતાના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. રવિવારના દિવસે કર્ણાટક સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો રસ્તો લેનારા બંને ધારાસભ્યો એચ નાગેશ અને આર. શંકર અપક્ષ ચુંટાયા છે. બંને ધારાસભ્યોએ પહેલા જ પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે. જ્યારે રાજકીય પક્ષો આ જે ફ્લોર ટેસ્ટ પહેલા પોતાની રણનીતિ બનાવવામાં લાગી ગઈ છે. તો બીજી તરફ સરકાર અને પક્ષના બળવાખોર નેતા હજુ પણ મુંબઈ રોકાયા છે અને તેમને મનાવવા માટે ગઠબંધનના નેતાઓ હજુ પણ છેલ્લી ઘડીના પ્રયાસ કરી રહ્યા છે. એક દિવસની મહેમાન કુમારસ્વામી સરકાર તો આ તરફ ભાજપના નેતા યેદિયુરપ્પાએ કહ્યું કે, “તમેમને પૂરો ભરોસો છે કે કુમારસ્વામી સરકાર હવે ફક્ત એક દિવસની મહેમાન છે. આજે ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યા બાદ કુમારસ્વામી ભૂતપૂર્વ મુખ્યમંત્રી બની જશે. પરંતુ પોતાની સરકાર બચાવવા માટે કારણ વગર જ વિશ્વાસ મત પરિક્ષણને આગળ વધારવામાં આવી રહ્યું છે.’