એપશહેર

પત્ની પ્રત્યેનો પ્રેમ, મૃત્યુના 3 વર્ષ પછી પતિએ તેમને ફરી 'જીવીત' કરી દીધા

3 વર્ષ પહેલા ગુજરી ગયેલા પત્નીને જ્યારે મહેમાનોએ શ્રીનિવાસની બાજુમાં બેઠેલા જોયા તો તેમના રુવાડા ઉભા થઈ ગયા હતા. જો તમને એવું લાગતું હોય કે આ તસવીરમાં 4 લોકો દેખાય છે તો તમને પણ આશ્ચર્ય થશે.

I am Gujarat 11 Aug 2020, 1:05 pm
ભારતમાં મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો તે દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે. આજ રીતે એક શખ્સ પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ જબરજસ્ત રીતે દર્શાવ્યો છે. કર્ણાટકના ઉદ્યોગપતિ શ્રીનિવાસ ગુપ્તાએ તાજમહેલ તો નથી બનાવ્યો પણ કંઈખ એવું કર્યું છે કે 3 વર્ષ પહેલા મૃત્યુ પામેલા તેમના પત્ની એક પળ માટે ફરી 'જીવીત' થઈ ગયા. પોતાના નવા ઘરના ગૃહપ્રવેશ પ્રસંગે શ્રીનિવાસે પોતાની પત્ની માધવી સાથે મહેમાનોનું સ્વાગત કર્યું તો લોકોના રુવાડા ઉભા થઈ ગયા હતા.
I am Gujarat karnataka man fulfils last wish of late wife brings her life size statue for house warming ceremony
પત્ની પ્રત્યેનો પ્રેમ, મૃત્યુના 3 વર્ષ પછી પતિએ તેમને ફરી 'જીવીત' કરી દીધા


​વર્ષ 2017માં થયો હતો અકસ્માત

આજથી 3 વર્ષ પહેલા વર્ષ 2017માં શ્રીનિવાસ પોતાની પત્ની સાથે દીકરીઓ સાથે કાર લઈને ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની કારનો એક ટ્રક સાથે અકસ્માત સર્જાઈ ગયો જેમાં બાકી બધા તો બચીગયા પણ તેમના પત્ની માધવીનું નિધન થઈ ગયું હતું.

​પત્નીની યાદમાં બનાવડાવ્યું ઘર

આ ઘટના બાદ આખો પરિવાર ભાંગી પડ્યો હતો. જે બાદ તેમાંથી બહાર આવવા માટે શ્રીનિવાસે પત્ની માધવીના યાદમાં એક ઘર બનાવવાનું નક્કી કર્યું. તેઓ ઈચ્છતા હતા કે આ ઘરમાં તેમના પત્ની માધવી પોતે પણ હોય. તેમણે ઘણાં કલાકારોનો સંપર્ક કર્યો પણ પણ તેમને સફળતા ના મળી.

એક વર્ષ મૂર્તિ બનાવવામાં લાગ્યું

આ પછી જાણીતા આર્કિટેક્ટ રંગનાન્નવરે તેમનું સપનું પૂરું કર્યું. તેમણે શ્રીનિવાસની મુલાકાત શ્રીધર મૂર્તિ સાથે કરાવી અને શ્રીધરે સિલિકોન વેક્સની આબેહૂબ માધવી જેવી મૂર્તિ બનાવી દીધી. તેમને પોતાને પણ વિશ્વાસ ના થયો પણ આ મૂર્તિ બનાવવામાં તેમને એક વર્ષનો સમય લાગી ગયો.

​દીકરીઓએ સજાવી માની મૂર્તિ

આ પછી 8 ઓગસ્ટના રોજ તેમણે નવા ઘરના ગૃહપ્રવેશનો કાર્યક્રમ રાખ્યો ત્યારે શ્રીનિવાસની બન્ને દીકરીઓઓ માતાની મૂર્તિને તેમની સૌથી વધારે ગમતી ગુલાબી સાડી અને ઘરેણાથી સણગારી. આ પછી મૂર્તિને સોફા પર બેસાડવામાં આવી અને બાજુમાં પતિ શ્રીનિવાસ બેસી ગયા.

​ઘરે આવેલા મહેમાનો ચોંકી ગયા

ગૃહ પ્રવેશના કાર્યક્રમમાં આવેલા મહેમાનો જ્યારે શ્રીનિવાસના ઘરે પહોંચ્યા તો તેમના રુવાડા ઉભા થઈ ગયા કારણ કે તેમણે 3 વર્ષ પહેલા ગુજરી ગયેલી વ્યક્તિને તેમના પતિની બાજુમાં બેઠેલા જોયા હતા. મહેમાનોને એવું લાગ્યું કે તેમનો પરિવાર ફરી સંપૂર્ણ થઈ ગયો છે. જોકે, પછી તેમને વિગત જણાવવામાં આવી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો