બેંગલુરુ: કર્ણાટકની બીએસ યેદિયુરપ્પા સરકારે વિશ્વાસ મત મેળવી લીધો છે. તે સાથે જ હવે રાજ્યની સત્તા સંપૂર્ણ રીતે ભાજપના હાથમાં આવી ગઈ છે. કોંગ્રેસ-જેડી(એસ)ની ગઠબંધન સરકાર પડ્યા બાદ સત્તામાં આવેલી યેદિયુરપ્પા સરકારે સોમવારે વિશ્વાસ મત મેળવી લીધો હતો. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પહેલા જ દાવો કર્યો હતો કે, તેઓ આ પરીક્ષામાં ચોક્કસ સફળ થશે. સોમવારે ધ્વનિમતથી તેમણે આ વિશ્વાસ મતને જીતી લીધો. બીજી તરફ, યેદિયુરપ્પાએ વિશ્વાસમત જીત્યો તે પછી તરત જ સ્પીકર આર રમેશએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો આ પહેલા વિધાનસભામાં બહુમતી પ્રસ્તાવ રજૂ કરતા યેદિયુરપ્પાએ કહ્યું કે, ‘તત્ર નિષ્ફળ થઈ ગયું છે અને અમે તેને વ્યવસ્થિત કરીશું. હું વિધાનસભાને ખાતરી આપું છું કે, અને બદલાનું રાજકારણ નહીં કરીએ.’ ખેડૂતોના મુદ્દાને ઉઠાવતા સીએમએ કહ્યું કે, ‘દુષ્કાળ પડ્યો છે. હું ખેડૂતોના મુદ્દા પર વાત કરવા ઈચ્છું છઉં. મેં નિર્ણય કર્યો છે કે, 2000 રૂપિયાના બે હપ્તા પીએમ કિસાન યોજના અંતર્ગત લાભાર્થીઓને રાજ્ય તરફથી આપવામાં આવશે. હું વિપક્ષને અપીલ કરું છું કે, મળીને કામ કરે. હું વિધાનસભાને અપીલ કરું છું કે, એકમતે મારા માટે વિશ્વાસ દર્શાવે.’ સિદ્ધારમૈયાનો સવાલ, કેવી રીતે આપશે સ્થિર સરકાર? બીજી તરફ, યેદિયુરપ્પાના પ્રસ્તાવના વિરોદમાં કોંગ્રેસના નેતા યેદિયુરપ્પાએ કહ્યું કે, ‘અમે આશા રાખીએ છીએ કે તમે (યેદિયુરપ્પા) સીએમ બને, પરંતુ તેની કોઈ ગેરંટી નથી. તમે બાગીઓની સાથે છો. તમે કેવી રીતે સ્થિર સરકાર આપશો? તે અશક્ય છે. હું આ વિશ્વાસ મતનો વિરોધ કરું છું, કેમકે આ સરકાર ગેરબંધારણીય અને અનૈતિક છે.’ જોકે, આ દરમિયાન સિદ્ધારમૈયાએ યેદિયુરપ્પાને શુભકામના પણ આપી. સિદ્ધારમૈયાએ આપી શુભેચ્છા તેમણે કહ્યું કે, ‘અમે ચાર દિવસ પહેલા એચડી કુમારસ્વામીના વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી. મેં પણ તેમાં ભાગ લીધો હતો અને હું તે અંગે વાત નથી કરવા ઈચ્છતો. હું એ સ્થિતિઓ વિશે વાત કરી શકતો હતો, જેમાં યેદિયુરપ્પા સીએમ બન્યા છે. હું તેમને શુભેચ્છા આપું છું અને તેમને વિશ્વાસનું સ્વાગત કરું છું કે તે લોકો માટે કામ કરશે.’ આંકડાની વાત કરીએ તો સરકારે બહુમતી માટે 105નો આંકડો મેળવવાનો હતો. એટલા ધારાસભ્ય એકલા ભાજપ પાસે છે. એવામાં ભાજપની જીત લગભગ પહેલેથી જ નક્કી હતી.