એપશહેર

કોઝિકોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની પાંચ મુખ્ય વાતો

I am Gujarat 25 Sep 2016, 6:39 pm
કોઝિકોડઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કેરળના કોઝિકોડમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દીના કાર્યક્રમમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. વડાપ્રધાને તેમના ભાષણમાં ઘણા મહત્ત્વના મુદ્દા ઉઠાવ્યા હતા અને વિશ્વાસ આપ્યો હતો કે કેન્દ્ર સરકાર દેશના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આ છે વડાપ્રધાનના ભાષણની મુખ્ય વાતોઃ
I am Gujarat key highlights of prime minister modi speech in kozhikode
કોઝિકોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની પાંચ મુખ્ય વાતો


મુસ્લિમો વોટ બેંક નથી
પંડિત દીનદયાળ ઉપાધ્યાયએ કહ્યું હતું કે, મુસ્લિમોને પુરસ્કૃત ન કરો, ન તિરસ્કૃત કરો, પણ તેમનો પરિષ્કાર કરો. મુસ્લિમોને વોટ બેંક ન સમજો, તેમના પ્રત્યે ઘૃણા ન કરો, તેમને પોતાના સમજો.

ચૂંટણી સુધારાની જરૂર
ચૂંટણી સુધારા પર સમગ્ર દેશમાં ચર્ચા થવી જોઈએ. જો કોઈ નાગરિક વોટ આપવાથી વંચિત રહે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. લોકતંત્રનાં મૂળિયાં મજબૂત બનાવવા માટે આપણે નવી બાબતો જોડવી પડશે.

COP 21ના નિર્ણયોનો અમલ કરશે
સમગ્ર દુનિયા ગ્લોબલ વોર્મિંગ અંગે ચિંતિત છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે કહ્યું હતું કે, ‘આપણે આપણાં સંસાધનોની કદર કરવી જોઈએ. આ વર્ષે બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જયંતિ પર પેરિસમાં કોપ 21માં થયેલા નિર્ણયોનું ભારત અમલીકરણ કરશે.

ગરીબ અમારા માટે નારો નથી
દલિત, શોષિત, વંચિત, ખેડૂત, એ અમારા માટે રાજકીય નારા નથી. તે અમારા કમિટમેન્ટ છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ની જ્યારે અમે વાત કરીએ છીએ ત્યારે સમાજના છેવાડાનો નાગરિક કેન્દ્રમાં હોવો જોઈએ. આ જ દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદયની પરિભાષા છે.

ઉદ્દેશ સાથે કોઈ સમાધાન નહિ
અમે ક્યારેય અમારાં લક્ષ્ય સાથે સમાધાન કર્યું નથી. અન્ય પક્ષોમાં સારા નેતાઓ હોઈ શકે છે, પરંતુ અમારી પાસે તેનાથી વધુ સારા લોકો છે. આજે અમે જે પણ છીએ, તે અમારા સિનિયર નેતાઓને કારણે છીએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો